બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / Politics / India Name Bharat: Mamta Banerjee, Congress, Kejriwal, MK stalin attacked BJP for changing the president of india with Bharat
Vaidehi
Last Updated: 07:49 PM, 5 September 2023
નવી દિલ્હીમાં થનારી જી-20 સમિટની તૈયારીઓ જોશપૂર્ણ ચાલી રહેલી છે. આ વચ્ચે જી20 ડિનરનાં આમંત્રણમાં રાષ્ટ્રપતિને 'President of Indiaની જગ્યાએ President of Bharat લખવાને લઈને રાજકીય વિવાદો શરૂ થઈ ગયાં છે. એક તરફ કોંગ્રેસ, CM મમતા, CM કેજરીવાલ અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં શામેલ થયેલા દળોએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે તો સામે પક્ષે BJPએ પણ પલટવાર કરી જવાબ આપ્યો છે.
28 દળોવાળાં વિપક્ષી ગઠબંધનનું I.N.D.I.A નામ છે. તેને લઈને PM મોદી સહિત ભાજપનાં નેતાઓ વિપક્ષ પર સતત પ્રહારો કરતાં રહે છે. હાલમાં ભારતની અધ્યક્ષતામાં થનારી જી20 સમિટ દિલ્હી ખાતે યોજાઈ છે. જેમાં ઘણાં દેશોનાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ આવી રહ્યાં છે. તેવામાં દેશનાં રાષ્ટ્રપતિનાં પત્રમાં પ્રેસિડેંટ ઓફ ભારત લખવા બાદ રાજકીય પાર્ટીઓ કેન્દ્ર પર આક્ષેપો મૂકી રહી છે:
Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred.
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023
After all, what is the objective of INDIA parties?
It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust.
Judega BHARAT
Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK
1. કોંગ્રેસે મહાસચિવ જયરામ રમેશે આ મુદે લખ્યું કે આ ખબર વાસ્તવમાં સાચી છે. રાષ્ટ્રપતિ ભવને જી20 સમ્મેલન માટે 9 સપ્ટેમ્બર માટે પ્રેસિડેંટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેંટ ઓફ ભારતનાં નામે આમંત્રણ મોકલ્યું છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ 1માં લખવામાં આવ્યું છે ઈન્ડિયા અર્થાત ભારત, રાજ્યોનો એક સંઘ હશે પરંતુ હવે આ રાજ્યોનાં સંઘ પર પણ હુમલાઓ થઈ રહ્યાં છે.
2. CM મમતા બનર્જીએ કોલકત્તામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે દેશનાં ઈતિહાસને ફરીથી લખવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે મેં સાંભળ્યું હતું કે ઈન્ડિયાનું નામ બદલવામાં આવી રહ્યું છે. માનનીય રાષ્ટ્રપતિનાં નામે મોકલવામાં આવેલ જી20 નાં નિમંત્રણ પર ભારત લખેલું છે. આપણે દેશને ભારત કહીએ છીએ તેમાં નવું શું છે? અંગ્રેજીમાં આપણે ઈન્ડિયા કહીએ છીએ. કંઈ નવું નથી. દુનિયા આપણને ઈન્ડિયાનાં નામે ઓળખે છે. અચાનક શું થઈ ગયું કે દેશને નામ બદલવાની જરૂરત પડી ગઈ?
3. CM અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે આપણાંથી ભાજપ ગભરાઈ ગઈ છે. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA પોતાનું નામ ભારત રાખી લે તો શું ભાજપ દેશનું નામ ભારતથી બદલીને બીજું કંઈક રાખશે? તેમણે કહ્યું કે આ વિશે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી પરંતુ મે અફવાઓ સાંભળી છે. એવું શા માટે થઈ રહ્યું છે?
4. એમ.કે સ્ટાલિને દાવો કર્યો કે અમે સૌ એક થયાં તો ભાજપ નામ બદલવા ઈચ્છે છે. તેમણે લખ્યું કે ફાસીવાદી ભાજપ શાસનને ઊખાડી ફેંકવા માટે અમે એક થયાં અને પોતાના ગઠબંધનનું નામ INDIA રાખ્યું. હવે ભાજપ ઈન્ડિયાને બદલી ભારત કરવા ઈચ્છે છે. ભાજપે ભારતને બદલવાનો વાયદો કર્યો હતો પરંતુ 9 વર્ષો બાદ આપણને માત્ર નામમાં પરિવર્તન જોવા મળ્યું. એવું લાગી રહ્યું છે કે ભાજપ ઈન્ડિયા નામક શબ્દથી ગભરાઈ ગઈ છે કારણકે તે વિપક્ષની એકતાની તાકતને જાણે છે.
5. NCP ચીફ શરદ પવારે મહારાષ્ટ્રનાં જલંગાવમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં લખ્યું કે કોઈ પાસે અધિકાર નથી કે તે દેશનું નામ બદલી શકે. મને સમજાતું નથી કે સત્તાધારી દળ ભાજપ એવું શા માટે કરી રહી છે.
Can we expect anything from a party which does not even know India's Preamble....
— Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023
Congress = Lack of respect for Constitution and Dr. Ambedkar.
Shameful! pic.twitter.com/iKo3Gh1MNu
ભાજપે કર્યો પલટવાર
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પલટવાર કરતાં લખ્યું, કોંગ્રેસને દેશનાં સમ્માન અને ગૌરવ સાથે સંકળાયેલ દરેક વિષયથી આટલી આપત્તિ શા માટે છે. ભારત જોડોના નામ પર રાજનૈતિક યાત્રા કરનારાઓને'ભારત માતાની જય'નાં ઉદ્ઘોષથી નફરત શા માટે છે? સ્પષ્ટ છે કે કોંગ્રેસનાં મનમાં ન તો દેશ પ્રતિ સમ્માન છે ન તો દેશનાં બંધારણ પ્રતિ અને ન તો બંધારણિય સંસ્થાઓ પ્રતિ. તેમને તો બસ એક વિશેષ પરિવારનાં ગુણગાનથી જ મતલબ છે. કોંગ્રેસની દેશ અને બંધારણ વિરોધી મંશાઓને સમગ્ર દેશ જાણે છે.
कांग्रेस को देश के सम्मान एवं गौरव से जुड़े हर विषय से इतनी आपत्ति क्यों है?
— Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023
भारत जोड़ो के नाम पर राजनीतिक यात्रा करने वालों को “भारत माता की जय” के उद्घोष से नफरत क्यों है?
स्पष्ट है कि कांग्रेस के मन में न देश के प्रति सम्मान है, न देश के संविधान के प्रति और न ही संवैधानिक…
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime