બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / રાજકોટ / In Vinchiya, Rajkot, husband and wife were buried in Havankund in superstition.
Dinesh
Last Updated: 06:00 PM, 16 April 2023
આધુનિક યુગમાં પણ વરવી આંધળી અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આપણે ડામ આપવાના કિસ્સાઓ તો સાંભળતા હોઈ છીએ પરંતુ આજે એક એવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે જે વાંચી રૂવાડા ઉભા થઈ જશે. રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું છે. બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા છે.
સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો
રાજકોટના વિંછિયાથી આંધળી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં તાંત્રિક વિધિ કરીને પતિ-પત્નીએ બન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પતિ પત્નીની બન્નેની બે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જે સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. બંન્ને નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી
પાપ્ત વિગતો મુજબ પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. એવી પણ માહિતી છે કે, પતિ-પત્ની છેલ્લા 3 વર્ષથી તાંત્રિક વિધિ કરતા હતા. જે સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે.
સળગતા સવાલ
પતિ-પત્નીએ ક્યા કારણોસર કરાવી તાંત્રિક વિધી?
દંપતીએ સ્યુસાઇડ નોટ કેમ રાખી હતી તૈયાર?
50 રૂપિયાના સ્ટેમ્પ પેપરને તાંત્રિક વિધી સાથે શું કનેકશન છે?
હેમુભાઇ અને હંસાબેનને કોઇએ ફસાવ્યા છે?
તાંત્રિક વિધિ કરાવવાનો ઉદેશ્ય શું હતો?
3 વર્ષથી તાંત્રિક વિધિ કરવા પાછળનો હેતું શું હતો?
હવનકુંડમાં પોતાનું મસ્તક હોમવાની ફરજ કોણે પાડી?
તાંત્રિક વિધિ કરાવનારા ક્યારે સકંજામાં આવશે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ