બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / In Amraiwadi, four unknown persons stabbed the young man indiscriminately, meat lances came out
Vishal Khamar
Last Updated: 11:09 PM, 8 July 2023
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મોડી રાતે ચાર અજાણ્યા શખ્સોએ એક યુવક પર અગમ્ય કારણોસર છરીના આડેધડ ઘા ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. યુવક પર છરીના ઘા એવી રીતે ઝીંક્યા કે તેના શરીરનું માંસ રીતસર બહાર આવી ગયું હતું. યુવક પર લૂંટના ઇરાદે હુમલો થયો છે કે પછી અંગત અદાવતમાં હુમલો થયો છે તે શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
મૃતકનાં પરિવારજનોએ હુમલાની ફરિયાદ કરી
અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અશ્વિન મકવાણાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. અશ્વિન મકવાણા તેના પરિવાર સાથે રહે છે અને ઇસનપુરબ્રિજ નીચે આવેલી હાર્ડવેરની દુકાનમાં નોકરી કરે છે. ગઇ કાલે અશ્વિન મકવાણા ઘરે બેઠો હતો ત્યારે તેમના ભાઇ લક્ષ્મણ અને દીકરીઓ ઘરમાં હાજર હતાં ત્યારે નાનો ભાઇ અનુપ બહાર આંટો મારવા ગયો હતો. અનુપ સંતોષી પાન પાર્લર પાસે બેઠો હતો ત્યારે ભંગારની દુકાન ધરાવતા અનિલભાઇ અશ્વિનને કહેવા આવ્યા હતા કે અનુપને કોઇ મારી રહ્યું છે. અશ્વિન તરત જ અનિલભાઇની દુકાન આગળ ગયા ત્યારે અનુપ લોહીથી લથબથ હાલતમાં પડ્યો હતો. હુમલાખોરોએ અનુપને છરીના ઘા માર્યા હતા, જેમાં તેના શરીરનું માંસ બહાર આવી ગયું હતું.
ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તે પણ દોડી આવ્યા
અશ્વિને તેના ભાઇ લક્ષ્મણને જાણ કરી દીધી હતી, જેથી તે પણ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તે પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત અનુપને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અનુપ પાન પાર્લર પાસે બેઠો હતો ત્યારે ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને એકાએક છરીઓ કાઢીને હુમલો કરી દીધો હતો. અનુપને ચારથી પાંચ છરીઓના ઘા ઝીંકી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તેઓ તાત્કાિલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધી છે, જ્યારે અનુપ પર હુમલો કરવાનું કારણ અંગત અદાવત કે પછી લૂંટનો ઇરાદો હતો તે જાણવા માટે પણ ચક્રો ગતિમાન કર્યાં છે.
આ મામલે ઈજાગ્રસ્ત યુવકના ભાઈ અશ્વિન મકવાણાએ જણાવ્યું છે કે મારા ભાઈ પર જ્યાં હુમલો થયો ત્યાં કેટલાક માથાભારે યુવકો દારૂ તેમજ માદક દ્વવ્યોનો નશો કરતા હોય છે. ગઈકાલે અનુપ ઉપર હુમલો કેમ થયો તેનું હજી સુધી જાણવા મળ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો