ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:10 PM, 29 May 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
.jpg)
બેન્કમાં જનધન ખાતુ ખોલવાની સુવિધા આપવામાં આવી છે અને મોદી સરકાર તરફથી આ સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે. આ યોજના હેઠળ ગરીબ એક પણ રૂપિયો ભર્યા વગર પોતાનું ખાતુ ખોલાવી શકે છે અને જેમાં અલગ અલગ પ્રકારના નાણાકીય લાભ મળે છે.
ADVERTISEMENT
1.30 લાખ રૂપિયાનો મળશે લાભ
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવેલા અકાઉન્ટના કારણે તમને 1.30 લાખ રૂપિયાનો લાભ થઇ શકે છે. જેમાં દુર્ઘટના વિમાનો લાભ પણ આપવામાં આવે છે. અકાઉન્ટ હોલ્ડરને 100000 રૂપિયાના એક્સિડન્ટ વીમા સાથે 30000 રૂપિયાનું જનરલ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. જો દુર્ઘટનામાં અકાઉન્ટ હોલ્ડરનું મોત થઇ જાય છે તો 1 લાખ રૂપિયા મળે છે.
પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેન્કિંગ બચત તેમજ જમા ખાતા, વિમા અને પેન્શન જેવી સુવિધાઓ આપે છે. આ ખાતુ કોઇ પણ બેન્કની શાખામાંથી ખોલાવી શકાય છે.
ADVERTISEMENT

કેવી રીતે ખોલાવશો અકાઉન્ટ
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ પબ્લિક સેક્ટરની બેન્કમાં ખાતુ ખોલાવી શકાય છે અને તમે ઇચ્છો તો પ્રાઇવેટ બેન્કમાં પણ અકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમારી પાસે સેવિંગ અકાઉન્ટ છે તો તમે તેને પણ જનધન ખાતામાં કનવર્ટ કરાવી શકો છો. ભારતમાં રહેનાર કોઇ પણ નાગરિક જેની ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે છે તે આ ખાતુ ખોલાવી શકે છે.
ADVERTISEMENT
આ ડૉક્યુમેન્ટની પડશે જરૂર
જનધન ખાતુ ખોલાવવા માટે KYC હેઠળ દસ્તાવેજોની જરૂર પડશે. પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર ID કાર્ડ, પાસપોર્ટ કે મનરેગા જોબકાર્ડની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT