બ્રેકિંગ ન્યુઝ
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
VTV / If Modi walks the path of Hitler, he will die like Hitler: Congress leader Subodh Kant Sahay on Agnipath
Hiralal
Last Updated: 03:27 PM, 20 June 2022
પહેલા મહારાષ્ટ્રના અને હવે ઝારખંડના કોંગ્રેસના સિનિયર નેતાએ પીએમ મોદી પર વિવાદીત ટીપ્પણી કરી છે. સેના ભરતીની યોજના અગ્નિપથ પર તમામ રાજકીય પક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા સુબોધકાંત સહાયે પીએમ મોદી પર અત્યંત અર્મયાદિત ટીપ્પણી કરીને વિવાદ છેડ્યો છે.
#WATCH | Modi will die Hitler's death if he follows his path, says Congress leader Subodh Kant Sahay at party's 'Satyagrah' protest against ED questioning of Rahul Gandhi & Agnipath scheme in Delhi pic.twitter.com/fO8LfRShvK
— ANI (@ANI) June 20, 2022
કોંગ્રેસ નેતા સુબોધકાંત સહાયે પીએમ મોદી પર કરી આવી ટીપ્પણી
કાર્યકરો અને નેતાને સંબોધિત કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુબોધકાંત સહાયે પીએમ મોદીની તુલના હિટલર સાથે કરતા કહ્યું કે જો પીએમ મોદી હીટલરના માર્ગે જશે તો તેઓ પણ હીટલરની જેમ માર્યા જશે. તેમના કહેવાનો અર્થ એવો હતો કે પીએમ મોદી હીટલર જેવું વર્તન કરી રહ્યા છે અને તેથી તેમનું મોત પણ હીટલરની જેમ થશે. ઉલ્લેખનીય છે કે જર્મનીના તાનાશાહ હિટલરે આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું હતું.
કોંગ્રેસ નેતા શેખ હુસૈને પણ કરી હતી પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી
ઉલ્લેખનીય છે કે 15 જૂન 2022ના દિવસે પણ કોંગ્રેસ નેતા શેખ હુસૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. નાગપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હુસૈને એવું કહ્યું કે જેવી રીતે કૂતરાનું મોત થાય છે તેવી રીતે પીએમ મોદીનું પણ મોત થશે. તેમણે પીએમ મોદીને મોતની શુભેચ્છા પાઠવી હતી. મહારાષ્ટ્રના નાગપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હુસૈને પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતાની આવી ટીપ્પણી બાદ ભાજપ ખળભળી ઉઠ્યો છે અને તેણે કોંગ્રેસ નેતાની સામે ફરિયાદ દાખલ કરાવી છે.
#WATCH | Subodh Kant Sahay speaks on his earlier statement, 'Modi will die Hitler's death if he follows his path'
— ANI (@ANI) June 20, 2022
Says "...Ask Narendra Modi, he too must have raised this slogan. It's a slogan- jo Hitler ki chaal chalega, wo Hitler ki maut marega. Ask him what path is he taking" pic.twitter.com/JrY4iFo2wY
ભાજપે સુબોધકાંત સહાયની ટીપ્પણીની ઝાટકણી કાઢી
ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પીએમ મોદી વિરુદ્ધ તેના નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અસંસદીય ભાષાની ટીકા અથવા નિંદા ન કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમના નેતાઓ પર લગામ કસશે, કારણ કે તેમણે જ તેમને આવા અપમાનજનક નિવેદનો આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રમણસિંહે પણ કહ્યું હતું કે સુબોધ કાંત સહાયની આ ટિપ્પણીને ગાંધી પરિવારનો મૌન ટેકો છે. ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા રઘુબર દાસે લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન વિરુદ્ધ સહાયની ટિપ્પણીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ તેમના પર કડક કાર્યવાહીને કારણે ખળભળાટ મચી ગઈ છે અને ડરી ગઈ છે, અને આ જ કારણ છે કે જૂના પક્ષના ભવ્ય નેતાઓ આવા અપમાનજનક નિવેદનો આપી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો