બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ખેલમાં ટોપ પરફોર્મન્સ મેળવવા માટે એમફોરની પહેલા માનસિક અનુકૂળ કાર્યક્રમનું સમર્થન કરતા ધોની માનસિક સ્વાસ્થ્ય (મેન્ટલ હેલ્થ) ના મુદ્દા પર પોતાની વાત કહી. એમફોરની તરફથી જારી કરવામાં આવેલી વાતમાં ધોનીએ કહ્યુ કે, ''મને લાગે છે કે ભારતમાં હજુ પણ સ્વીકાર કરવું મોટી વાત છે કે માનસિક પહેલૂને લઇને કોઇ નબળાઇ છે, સામાન્ય રીતે તેણે માનસિક બિમારી કહેવાય છે.''
એમફોરમાં ધોનીએ કહ્યુ કે, વિભિન્ન રમતના કોચ સાથે વાતચીત દરમિયાન ટિપ્પણી કરી. COVID 19 મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યા પહેલા આ કાર્યક્રમને આયોજિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે જૂલાઇમાં વર્લ્ડકપ સેમિફાઇનલમાં હાર મેળવ્યા પછી ટીમ ઇન્ડિયામાંથી દૂરી બનાવ્યા પછી ધોનીએ કહ્યુ કે, ''આજે પણ માનસિક સમસ્યાઓ સ્વીકારવી એ ભારતમાં મોટો મુદ્દો છે. ખાસ કરીને ખેલાડીઓ સાથે. ખરેખર કોઈ કહેતું નથી કે, જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે પ્રથમ 5થી 10 બોલ રમતી વખતે હ્રદયના ધબકારા વધી જાય છે. હું દબાણ અનુભવું છું, મને થોડો ડર લાગે છે. દરેક વ્યક્તિને એવું લાગે છે. પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તે કોઈ કહેતું નથી?''
ADVERTISEMENT
વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, ''જો મેન્ટલ કન્ડિશનિંગ કોચ થોડા દિવસો માટે ટીમ સાથે જોડાય છે, તો તેનો વધારે ફાયદો નહીં થાય. કારણ કે તે પછી થોડા દિવસો માટે જ પોતાના અનુભવો ખેલાડીઓ સાથે શેર કરી શકશે. જો તે સતત ટીમ સાથે હોય, તો પછી તેઓ સમજી શકે કે તે કયા ક્ષેત્ર છે જે કોઈ ખેલાડીની રમતને અસર કરે છે.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.