બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / I am going to contest the election for sure statement of Congress leader
Kishor
Last Updated: 05:38 PM, 10 September 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સહીત ગુજરાત કોંગ્રેસના 5 મોટાગજાના નેતાઑ વિધાનસભાની ચૂટણીમાં નહિ ઝંપલાવે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહીતના નેતાઑના નામની ચર્ચા જાગી હતી. ત્યારબાદ સુખરામ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે.જેમાં 'હજુ હું ઘરડો નથી થયો, ચોક્કસ ચૂંટણી લડવાનો છું' તેમ જણાવ્યું હતુ.
ચૂંટણીમાં ઉંમર નડતી નથીઃ સુખરામ રાઠવા
સુખરામ રાઠવા સહીતના દિગ્ગ્જ નેતાઓ ચૂંટણીમાં લડવાના બદલે ઉમેદવારો માટે રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં છે. તેવી વાત વચ્ચે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, હું ચૂંટણી ચોક્કસ લડવાનો છું અને ચૂંટણીમાં કોઈ ઉંમર નડતી નથી. વધુમાં હું હજી ઘરડો ન થયો હોવાનો ઉલ્લેખ કરી પાર્ટી આદેશ કરશે તે પ્રમાણે ચૂંટણીમાં ઝંપલાવવાની સુખરામ રાઠવાએ તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, સુખરામ રાઠવા સહીત 5 દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાના બદલે રાજ્યભરમાં ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. તેવી વાત સામે આવી હતી.
બંધમાં જોડાનારા છોટાઉદેપુરના વેપારીઑનો આભાર : સુખરામ રાઠવા
વધુમાં પુત્રને ચૂંટણી લડાવવા અંગેના પ્રશ્નના જવાબમાં સુખરામ રાઠવાએ જણાવ્યું કે પોતાનો પુત્ર તાલુકા પંચાયતનો સભ્ય છે જે તૈયાર થાય બાદ ચૂંટણી લડાવવાની વાત કરી હતી. વધુમાં ગુજરાત કોંગ્રેસે આજે સવારના 8થી 12 વાગ્યા સુધી આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારીને લઈને આજે કોંગ્રેસે પ્રતિકાત્મક બંધનું એલાન આપ્યું હતું. ત્યારે બંધમાં સમર્થન આપનાર છોટાઉદેપુર પંથકના વેપારીઑનો સુખરામ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ