બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / Hundred touch one thing! How grateful it is to be unlucky in life but to be overcome by miracles, why not surrender to science?
Vishal Khamar
Last Updated: 08:06 PM, 11 May 2023
ધર્મ અને વિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે, ધર્મ અને વિજ્ઞાનને અલગ કરવાની ભૂલ કયારેય કરવી ન જોઈએ. આપણા પૂર્વજો, સંતો, દાર્શનિકો તમામે આ જ વાત કેન્દ્રસ્થાને રાખી છે. જો કે દુખની વાત એ છે કે જમાનો જેમ જેમ આધુનિક થતો ગયો તેમ તેમ અંધશ્રદ્ધા અને બદીઓ વધુ ને વધુ ઘર કરતી ગઈ. હવે ટેકનોલોજી તમારા ઘરમાં જ નહીં તમારા હાથમાં જ ઉપલબ્ધ છે તો પછી એવું તો શું થાય છે કે વ્યક્તિની તર્કશક્તિ જ ખતમ થઈ જાય અને તે દોરા ધાગા કે ભુવાઓના ભરોસે બેસી જાય. એવું કેમ માની શકાય કે એક પરિવારમાં બધુ સમૂસુતરુ ચાલે છે અને કોઈ ભુવાનો સંપર્ક થાય અને તે એમ કહે કે તમારા પરિવાર ઉપર મુઠચોટ થયેલી છે તો એ પરિવારજનો સહેજ પણ તર્કસંગત રીતે વિચાર કેમ ન કરી શકે. ભુવાઓએ લાખોની છેતરપિંડી કરી હોય તેવા અનેક કિસ્સા છે તે કેમ અટકતા નથી. જે ભુવાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવે છે તેનું માન ખરેખર કેટલું છે અને કેટલું હોવું જોઈએ. આપણને જે ચમત્કાર નરી આંખે દેખાય છે તેનું સત્ય કેટલું છે.
મેલી વિદ્યાના નામે ભુવાઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યા. શ્રદ્ધા અને આસ્થાના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા વધ્યા છે. લોકો પણ લેભાગુ ભુવાઓની વાતોમાં આવી ગયા હોય તેવા બનાવ બન્યા. ત્યારે તાંત્રિક વિધિના નામે મસમોટી રકમ ભુવાઓ પડાવે છે. પરિવાર પોતાના દાગીના-ધંધા વેંચીને ભુવાઓને લાખો રૂપિયા આપે છે. પરિણામ શૂન્ય મળે છે અને છેતરાયા તથા આઘાતની લાગણી જીરવી શકાતી નથી.
ગાંધીનગરનો મામલો શું છે?
અનોડિયા ગામના 3 શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે. દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે ફરિયાદ થઈ છે. અમદાવાદની મહિલાના પરિવાર સાથે છેતરપિંડી થઈ હતી. મેલી વિદ્યાના નામે ભુવાઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા. અનોડિયાના આવકારધામ આશ્રમમાં ઠગાઈ થઈ હોવાની ફરિયાદ. ભુવા અને તેના દિકરા વિરુદ્ધ માણસા પોલીસમાં ફરિયાદ કરી હતી. મહિલાના પરિવારજનો ઉપર મૂઠચોટ થયેલી છે તેવું કારણ અપાતું હતું. એક વિધિના 90 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. મહિલાના ભાઈ-ભાઈ, નાના ભાઈ, સંતાનો ઉપર પણ વિધિ કરી હતી. મહિલાએ પોતાના દાગીના વેંચ્યા, પરિવારે પોતાનો ધંધો વેચીને રૂપિયા એકઠા કર્યા. વિધિ ન કરાવે તો પરિવારના સભ્યોના મૃત્યુ થશે તેવો ડર બતાવવામાં આવતો હતો. મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી.
ભુવાઓ દ્વારા છેતરપિંડીના કિસ્સા
રાજકોટ
અમદાવાદ
ધાનેરા
ગાંધીનગર
જામજોધપુર
છોટાઉદેપુર
ભુવાઓ કેવા-કેવા ધતિંગ કરે છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime