બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 06:21 PM, 15 August 2023
હાઈ બ્લડ પ્રેશર (હાઈપર ટેંશન)ના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા થાય છે. નોર્મલ બીપી 120/80 હોય છે, આ લેવલ કરતા બીપી વધુ હોય તો તેને હાઈ બીપી માનવામાં આવે છે. આ કારણોસર અનેક પ્રકારની આરોગ્યની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશર ઓછું કરવા માટે ઈલાયચી એક ગુણકારી ઔષધી સાબિત થઈ શકે છે. અહીંયા અમે તમને ઈલાયચીના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
ઈલાયચીના ફાયદા
હાઈપરટેંશન કંટ્રોલ
ઈલાયચીને હાઈ બીપી કંટ્રોલ કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર 20 દર્દીઓને ઈલાયચીનો પાઉડર આપવામાં આવ્યો હતો, જેનું સેવન કરવાથી તેમનું બીપી નોર્મલ થઈ ગયું હતું.
પેટની ચરબી ઓછી કરે છે
ઈલાયચીનું વજન સરળતાથી ઓછું થઈ શકે છે. જેનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપથી થાય છે, જે ચરબી ઓગાળવાનું કામ કરે છે અને વજન ઝડપથી ઓછું થાય છે.
ડાયાબિટીસ માટે ગુણકારી
ઈલાયચીના દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને શુગરથી રાહત મળી શકે છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, બ્લડ શુગર કંટ્રોલ કરવા અને ડાયાબિટીસ મેનેજ કરવા માટે ઈલાયચી ગુણકારી માનવામાં આવે છે.
ભૂખ વધે છે
ઈલાયચીનું સેવન કરવાથી ભૂખ વધે છે. એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ઈલાયચીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને ભૂખ લાગે છે.
લીવર હેલ્ધી રહે છે
ઈલાયચીનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ અને લિવર એન્ઝાઈમ ઓછા થઈ શકે છે. જેનાથી આરોગ્ય પર સારી અસર થાય છે. આ કારણોસર લીવર પર ફેટ જામી જાય છે અને સિરોસિસનું જોખમ રહે છે.
કેન્સરનું જોખમ ઓછું કરે છે
અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું થે કે, ઈલાયચીમાં એન્ટી-કેન્સર ગુણ રહેલા છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ઈલાયચીમાં ટ્યુમરવાળા સેલ્સ ખતમ કરવાના ગુણ રહેલા છે. આ કારણોસર ઈલાયચીનું સેવન કરવું તે ફાયદાકારક માનવામાં આવે છે.
ઓરલ બેનેફિટ્સ
મોઢાની દુર્ગંધ, પેઢાનો દુખાવો, દાંતમાં બળતરાની સમસ્યા માટે ગુણકારી છે. ઓરલ હેલ્થની સમસ્યા હોય તો ઈલાયચી ખૂબ જ ફાયદાકારક છે, જેનાથી ઓરલ ઈન્ફેક્શન દૂર થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો