બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / government schemes pmsby and pmjjby offer 4-lakh insurance protection only rs 456 yearly premium
Kishor
Last Updated: 05:53 PM, 1 September 2023
મોદી સરકાર ખેડૂતો, ગરીબ પરિવાર અને સામાન્ય નાગરિક સહિત દરેક વર્ગના વિકાસ માટે અનેક પ્રકારની કલ્યાણકારી સામાજિક યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાઓમાં અનેક એવી યોજનાઓ છે જેના વિશે લોકોને જાણકારી હોતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 2 વીમા યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકને માત્ર 456 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 4 લાખ રૂપિયાનું વિમા સુરક્ષા કવચ મળે છે.
4 લાખ રૂપિયાનું જોખમ સુરક્ષા મળે છે
સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચલાવી રહી છે. આ બંને સરકાર સમર્થિત ઇન્શ્યોરન્સ સ્કીમમાં દેશના સામાન્ય નાગરિકને 2-2 લાખ રૂપિયા એટલે કે ટોટલ 4 લાખ રૂપિયાનું જોખમ સુરક્ષા મળે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માત્ર 436 રૂપિયાનું વાર્ષિક પ્રિમિયમ છે જેમાં 2 લાખ રૂપિયાની વીમા સુરક્ષા મળે છે. જો કે આ ઇંશ્યોરન્સ સ્કીમ માત્ર 18થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિના લોકો લાભ લઇ શકશે.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 1 જુનથી 31 મે સુધી એક વર્ષની અવધી માટે હોય છે. ત્યારબાદ દર વર્ષે નક્કી કરેલા સમયે રિન્યુઅલ થઇ જાય છે. આ યોજના અંતર્ગત જો કોઇ પણ કારણથી વીમા ધારકનું મૃત્યુ થઇ જાય છે તો તેના પરિવારના સભ્યને વીમા રાશી તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજનાનો લાભ માત્ર 18થી 70 વર્ષની ઉંમરના લોકોને જ મળે છે. આ વીમા સુરક્ષા યોજનાની જોખમી અવધી પણ 1 જુનથી 31 મે સુધી હોય છે. ત્યારબાદ વ્યક્તિના બેંક ખાતામાંથી 30 રૂપિયા ઓટો ડેબિટ થઇ જાય છે અને જોખમ સુરક્ષા ચાલુ જ રહે છે. સુરક્ષા વીમા યોજનામાં માત્ર 30 રૂપિયાના પ્રિમિયમ પર 2 લાખ રૂપિયાના વીમા સુરક્ષા મળે છે. જો કે આ યોજના અંતર્ગત દુર્ઘટનામાં વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો અને એક્સિડેન્ટમાં પૂર્ણ વિકલાંગતા આવી જાય તો 2 લાખ રૂપિયા મળે છે. તો આંશિક વિકલાંગતા પર 1 લાખ રૂપિયા આપવામાં આવે છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે 26 એપ્રિલ 2023 સુધી પીએમજેજેબીવાય અને પીએમએસબીવાય યોજના અંતર્ગત ક્રમશઃ 16.2 કરોડ તથા 34.2 કરોડ લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. તો પીએમજેજેબીવાય યોજનામાં 6.64 લાખ પરિવારને સહાયતા આપવામાં આવી છે. જેમાં ક્લેમ તરીકે 13,290 કરોડ રૂપિયાનું ચુકવણું કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો