બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Goa flight emergency landing at Jamnagar airport

BIG NEWS / મોસ્કો-ગોવા ફ્લાઇટમાં બૉમ્બ મામલે મોટા અપડેટ, જુઓ જામનગર કલેક્ટરે શુ કહ્યું?

Kishor

Last Updated: 11:56 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની માહિતી મળતાં ફલાઈટનું જામનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે.

  • જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
  • પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને કારણે કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી મળી હતી. જેને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા છે. ફ્લાઈટમાં વિદેશી પેસેન્જરો સવાર હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ, પોલીસ, 108 અને બૉમ્બ સ્કવોર્ડની ટીમ એરપોર્ટ ખાતે પહોંચી છે.

 

ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ ઘટનાસ્થળે

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોસ્કોથી ગોવાની ફલાઈટમાં બૉમ્બની ખબરને ફ્લાઇટ લેન્ડ થયા બાદ પોલીસ, બૉમ્બ સ્કોડ એરપોર્ટ પર તહેનાત છે જ્યારે 7 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ અને પોલીસ કાફલો એરપોર્ટ પર ખડેપગે રહ્યો છે. ગોવા ATCને બોમ્બ અંગેનો  ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે.હાલ ફ્લાઈટમાં 236 વિદેશી પેસેન્જરો સવાર હોવાનું જાણવા મળી રહયું છે.આ ઘટનાને પગલે જામનગર એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલજોવા મળી રહ્યો છે.

જામનગર કલેકટરે કહ્યું... તો આ મામલે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં જામનગરના કલેકટર સૌરભ પારધીએ સોશિયલ મીડિયામા એક સંદેશ વહેતો કરી જણાવ્યું કે ફલાઈટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા મોસ્કો-ગોવા જતી ફ્લાઇટને જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ 236 પેસેન્જર્સ અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર્સને સલામત રીતે બહાર કઢાયા છે અને હાલ સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ