બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / Ganiben Thakor also supported SC on reservation issue: said happy people should leave reservation
Dinesh
Last Updated: 10:50 PM, 8 February 2024
ગરીબોના લાભ માટે સદ્ધર લોકોએ અનામતમાંથી બહાર નિકળવું જોઈએ તેમજ અનામતનો લાભ લઈ લીધો હોય તેમણે અન્ય અતિ પછાત માટે જગ્યા કરવી જોઈએ. જે સુપ્રીમકોર્ટની ટીપ્પણી પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, સુખી સંપન્ન લોકોએ અનામતનો લાભ જતો કરવો જોઈએ
"દેશમાં જનસંખ્યાની ગણતરી જ્ઞાતિ પ્રમાણે કરાય"
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, અનામત કેટેગરીના ગરીબ લોકોને લાભ મળવો જોઈએ. સંપન્ન લોકો માટે કેટેગરી કે આવક બાબતે વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, સમગ્ર દેશમાં જનસંખ્યાની ગણતરી જ્ઞાતિ પ્રમાણે કરવામાં આવે તેમજ વસતીના ધોરણે બજેટ નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવે. મોટા સમુદાયના બેલેન્સ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે.
'અનામતમાં પણ કેટેગરી નક્કી કરવી જોઈએ'
તેમણે જણાવ્યું કે, OBC સમાજમાં મોટા હોદ્દા ધરાવતા વ્યક્તિએ અનામત છોડીને જનરલમાં ભરવુ જોઈએ. સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ છોડીને ગરીબ પરિવારોને લાભ આપવો જોઈએ. ગેસની સબસિડી જેમ સુખી સંપન્ન લોકોએ OBC કેટેગરીનો લાભ છોડવો જોઈએ. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મકાન સહાયની જેમ અનામતમાં પણ કેટેગરી નક્કી કરવી જોઈએ. ઉદ્યોગપતિ અને કલેક્ટર જેવા લોકોને અનામતનો લાભ મળવો જોઈએ નહી. વર્તમાન સ્થિતિ પ્રમાણે એનાલિસિસ કરી પરિપત્ર બહાર પાડી નિયમો બનાવીને તેનો અમલ કરવો જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ