બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Premal
Last Updated: 12:48 PM, 9 September 2022
આજે કરાશે ગણેશ વિસર્જન
ગણપતિનુ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરાય છે. ગણેશ વિસર્જન પર બાપ્પાની વિદાયનુ દ્રશ્ય મનોહર લાગે છે. ગણેશજીની વિદાય વેળાએ સાચા મનથી માંગવામાં આવેલી કામના દરેક સ્થિતિમાં પૂરી થાય છે. આ વર્ષે અનંત ચતુર્દશી એટલેકે ગણેશ વિસર્જન શુક્રવારે છે. આજે આ 9 દિવસથી બિરાજેલા ભગવાન ગણેશનુ વિસર્જન પણ થશે. ગણેશ વિસર્જનનુ શું મહત્વ છે અને શું વિધિ છે. આ અંગે જાણીએ.
ગણેશ વિસર્જન કરતી વખતે આ બાબતો પર આપો ધ્યાન
એવી માન્યતા છે કે મૂર્તિનુ વિસર્જન કરવાથી ભગવાન ફરીથી કૈલાશ પર્વત પર પહોંચી જાય છે. આ દિવસે અનંત શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે, તેથી તેને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય કરીને જીવનની સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. આવો તમને જણાવીએ કે ગણપતિ વિસર્જનમાં એવી કઈ-કઈ બાબતો છે, જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે.
ગણપતિ વિસર્જનની વિધિ
અનંત ચતુર્દશીના દિવસે સવારે ઉપવાસ રાખવો જરૂરી છે. ઉપવાસ ન રાખો તો ફળાહાર કરો. ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિનુ વિધિવત પૂજન કરો. પૂજામાં નારિયેળ, શમી પત્ર, ધરો જરૂર મુકો. મૂર્તિને વિસર્જન માટે લઇ જાઓ. જો મૂર્તિ નાની હોય તો તેને ખોળામાં અથવા માથા પર મુકી દો. મૂર્તિને લઇ જતી વખતે ભગવાન ગણેશને સમર્પિત અક્ષત ઘરમાં ઉડાડી દો.
આ ભૂલ ના કરશો
પોતાની પાસે ચામડાનો બેલ્ટ, ઘડિયાળ અથવા પર્સ ના મુકશો. ઉઘાડા પગે મૂર્તિને લઇ જાઓ અને વિસર્જન કરો. પ્લાસ્ટિકની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના ના કરશો અને વિસર્જન પણ ના કરશો. વિસર્જન માટે માટીની મૂર્તિ સર્વશ્રેષ્ઠ છે. વિસર્જન બાદ હાથ જોડીને ગણપતિ પાસે કલ્યાણ અને મંગળમયી જીવનની કામના કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો