બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Father killed son in Pardi of Valsad
Malay
Last Updated: 12:28 PM, 9 May 2023
વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના પારડીમાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી છે. પુત્રએ પિતા પાસે ઘર બનાવવા પૈસા માંગતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન પિતાએ આવેશમાં આવી જઈ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી પિતાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ કરી પુત્રની હત્યા
મળતી માહિતી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘર બનાવવા માટે પૈસા માંગતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દીધી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આરોપી પિતાની અટકાયત કરી હતી.
પુત્રની હત્યા બાદ પિતાની તબિયત લથડી
પુત્રની હત્યા કર્યા બાદ પિતાની તબિયત લથડી છે. તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ તો પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાનું કારણ પૈસા માનવામાં આવી રહ્યું છે. પારડી પોલીસ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં પણ બન્યો હતો આવો જ બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનામાં તાપી જિલ્લામાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પુત્ર નોકરી કે કામધંધો કરતો નહોતો જેને લઈ બાપ દીકરા વચ્ચે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. પિતાએ નજીવી બાબતે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.
કુહાડીના ઘા ઝીંકીને કરી હતી હત્યા
સોનગઢના સાતકાશી ગામે ટાંકી ફળિયામાં રહેતા મનુભાઈ ફૂલસિંગભાઈ વસવા પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પુત્રને ગળા, માથા, છાતી તેમજ હાથના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime