બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Eight former Indian Navy officers taken into custody in Qatar

BIG NEWS / કતારમાં ભારતીય નેવીના 8 નિવૃત્ત અધિકારીઓની અટકાયત, એકને મળી ચૂક્યો છે તત્કાલિન રાષ્ટ્રપતિ તરફથી પુરસ્કાર

Malay

Last Updated: 09:35 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નેવીના 8 નિવૃત્ત અધિકારીઓને કતારમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ડોક્ટર મીતુ ભાર્ગવે ટ્વીટ કરીને ભારત સરકાર પાસે મદદ માંગી છે.

  • ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીઓને કતારમાં કસ્ટડીમાં લેવાયા
  • ભારત સરકાર પાસે માંગી મદદ, આરોપોનું કારણ અસ્પષ્ટ 
  • વિદેશ મંત્રાલય તરફથી નથી અપાઈ કોઈ પ્રતિક્રિયા 

ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીઓને હાલ કતારમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ભારતીય નાગરિકો કતારની એક કંપનીમાં કામ કરે છે, જે તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દોહા સ્થિત ભારતીય દૂતાવાસને આ ઘટનાની જાણકારી છે. આ મામલે વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ભારત સરકારને મદદની અપીલ
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મીતુ ભાર્ગવે ટ્વીટ કરીને સરકારને મદદની અપીલ કરી. ડૉક્ટર મીતુ ભાર્ગવના ટ્વિટર બાયો પર તેમને એક 'શિક્ષક અને આધ્યાત્મિક વ્યક્તિ' તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમણે કહ્યું કે, "ભારતીય સેનામાં સેવા આપી ચૂકેલા 8 લોકોને છેલ્લા 57 દિવસથી દોહામાં ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.' આ પોસ્ટમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને તેમણે ભારત સરકારને આના પર ઝડપી કાર્યવાહી કરવા અને કોઈપણ વિલંબ કર્યા વિના નેવીના પૂર્વ અધિકારીઓને મુક્ત કરાવવાની માંગ કરી છે.

 

સુરક્ષા સંબંધિત કામ કરે છે કંપની
તેમણે વડાપ્રધાન મોદી સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સહિત ઘણા મંત્રીઓને ટેગ કર્યા છે. નેવીના પૂર્વ અધિકારીઓ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની કંપનીમાં કામ કરતા હતા. એક રિપોર્ટ મુજબ, આ કંપની ખુદને કતારની રક્ષા, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના "સ્થાનિક બિઝનેસ પાર્ટનર"  અને સંરક્ષણ સાધનોના સંચાલન અને જાળવણી તરીકે તેની મુખ્ય ક્ષમતાઓના રૂપમાં વર્ણન કરે છે. ગ્રુપના CEO, ખામીસ અલ અજમી પણ પોતે રોયલ ઓમાન એરફોર્સમાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર છે.

આરોપોનું કારણ સ્પષ્ટ નથી
કસ્ટડીમાં લેવામાં આવેલા 8 ભારતીયોમાંથી એક ફર્મના મેનેજિંગ ડાયરેક્ટર કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી (નિવૃત્ત) પણ સામેલ છે. તેમને 2019માં દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર મળી ચૂક્યો છે. કંપનીની વેબસાઈટ પર તેની પ્રોફાઇલ છે જેમાં તેના વિશે જણાવવામાં આવ્યું છે કે તેણે ભારતીય નેવીમાં પોતાની સેવા આપી છે, જ્યાં તેણે એક માઈનસ્વીપર અને વિશાળ ઉભયજીવી યુદ્ધ જહાજની કમાન સંભાળી હતી.

કારણ હજુ સુધી સામે આવ્યું નથી
જો કે, આ ભારતીયોને કયા કારણોસર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની સામે કયા આરોપો લગાવવામાં આવ્યા છે, તેના વિશે વધુ માહિતી મળી શકી નથી. રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને આ લોકોને મદદ કરવા માટે કોન્સ્યુલર મુલાકાતની મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ