બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating late at night has bad effects on health,Eat before 8 pm
Sanjay Vibhakar
Last Updated: 01:29 PM, 20 December 2023
ADVERTISEMENT
આજકાલ લોકોની જીવનશૈલી જલ્દીથી બદલાઈ રહી છે. લોકો મોડી રાત સુધી જાગીને કામ કરતા હોય છે. જેથી લેટ નાઈટ ડિનર ખૂબ સામાન્ય બાબત છે. ભલે લોકોને મોડી રાત્રે જમવાનું ગમતું હોય પણ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ રાત્રે 9 વાગ્યા પછી જમવાથી સ્ટ્રોક અને મીની સ્ટ્રોક જેવી ઘાતક સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
ADVERTISEMENT
સંશોધન
ફ્રાંસની રાજધાની પેરિસમાં આવેલી એક સોરબોન યુનિવર્સિટીનાં સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકોએ 1 લાખથી વધુ લોકો પર સંશોધન કર્યા બાદ આ દાવો કર્યો છે કે મોડી રાત્રે જમવાની આદત લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ સંશોધન નેચર કમ્યુનિકેશંસમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામેલ લોકોનો જમવાનો સમય નોંધવામાં આવ્યો હતો. તેમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝના જોખમનું પણ નિરીક્ષનું કરવામાં આવ્યું હતું. આ સંશોધન સાત વર્ષ લાંબુ ચાલ્યું હતું. તેનું પરિણામ હવે સામે આવ્યું છે. જેમાં રાત્રિ ભોજનનાં યોગ્ય અને અયોગ્ય સમય વિશે જાણ કરવામાં આવી છે.
સ્ટ્રોકનું જોખમ
અભ્યાસ મુજબ એક વાત સામે આવી છે કે, જે લોકો રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેતા હતા તેના પ્રમાણે રાત્રે 9 વાગ્યા અથવા તેથી મોડું જમતાં લોકોમાં સ્ટ્રોક અથવા હાર્ટ અટેકનું જોખમ 28 ટકા વધારે જોવા મળ્યું છે. મોડી રાત્રે જમવાના કારણે મગજમાં લોહીનો પુરવઠો ખોરવાવા લાગે છે. જેના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝનું જોખમ વધી જાય છે.
સ્વાસ્થ્ય
મોડી રાત્રે જમવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખાવાનું મોડું પાચન થવાનાં કારણે શરીરમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનું પ્રમાણ વધી જાય છે. રાત્રે હાઇ બ્લડ પ્રેશર હોવાથી રક્તવાહિકાઓને નુકસાન થાય છે. જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે મોડી રાત્રે જમવાના લીધે પુરુષોનાં પ્રમાણમાં સ્ત્રીઓને વધુ નુકસાન થાય છે. મોડી રાત્રે જમવાના કારણે પાચન તંત્ર બગડી શકે છે. જેના કારણે સ્થૂળતાનું જોખમ વધી જાય છે. એટલા માટે રાત્રે 8 વાગતા પહેલા જમી લેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT