બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating late at night has bad effects on health,Eat before 8 pm
Pooja Khunti
Last Updated: 01:29 PM, 20 December 2023
આજકાલ લોકોની જીવનશૈલી જલ્દીથી બદલાઈ રહી છે. લોકો મોડી રાત સુધી જાગીને કામ કરતા હોય છે. જેથી લેટ નાઈટ ડિનર ખૂબ સામાન્ય બાબત છે. ભલે લોકોને મોડી રાત્રે જમવાનું ગમતું હોય પણ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ રાત્રે 9 વાગ્યા પછી જમવાથી સ્ટ્રોક અને મીની સ્ટ્રોક જેવી ઘાતક સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
સંશોધન
ફ્રાંસની રાજધાની પેરિસમાં આવેલી એક સોરબોન યુનિવર્સિટીનાં સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકોએ 1 લાખથી વધુ લોકો પર સંશોધન કર્યા બાદ આ દાવો કર્યો છે કે મોડી રાત્રે જમવાની આદત લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ સંશોધન નેચર કમ્યુનિકેશંસમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામેલ લોકોનો જમવાનો સમય નોંધવામાં આવ્યો હતો. તેમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝના જોખમનું પણ નિરીક્ષનું કરવામાં આવ્યું હતું. આ સંશોધન સાત વર્ષ લાંબુ ચાલ્યું હતું. તેનું પરિણામ હવે સામે આવ્યું છે. જેમાં રાત્રિ ભોજનનાં યોગ્ય અને અયોગ્ય સમય વિશે જાણ કરવામાં આવી છે.
સ્ટ્રોકનું જોખમ
અભ્યાસ મુજબ એક વાત સામે આવી છે કે, જે લોકો રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેતા હતા તેના પ્રમાણે રાત્રે 9 વાગ્યા અથવા તેથી મોડું જમતાં લોકોમાં સ્ટ્રોક અથવા હાર્ટ અટેકનું જોખમ 28 ટકા વધારે જોવા મળ્યું છે. મોડી રાત્રે જમવાના કારણે મગજમાં લોહીનો પુરવઠો ખોરવાવા લાગે છે. જેના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝનું જોખમ વધી જાય છે.
સ્વાસ્થ્ય
મોડી રાત્રે જમવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખાવાનું મોડું પાચન થવાનાં કારણે શરીરમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનું પ્રમાણ વધી જાય છે. રાત્રે હાઇ બ્લડ પ્રેશર હોવાથી રક્તવાહિકાઓને નુકસાન થાય છે. જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે મોડી રાત્રે જમવાના લીધે પુરુષોનાં પ્રમાણમાં સ્ત્રીઓને વધુ નુકસાન થાય છે. મોડી રાત્રે જમવાના કારણે પાચન તંત્ર બગડી શકે છે. જેના કારણે સ્થૂળતાનું જોખમ વધી જાય છે. એટલા માટે રાત્રે 8 વાગતા પહેલા જમી લેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો