બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / ગુજરાત / રાજકોટ / Dr. Atul Chag's suicide case sparked outrage in the Radhuvansi community, gave a 24-hour ultimatum, made an important demand to the police
Vishal Khamar
Last Updated: 10:28 PM, 20 February 2023
વેરાવળનાં જાણિતા ર્ડા.અતુલ ચગના આત્મહત્યા મામલે રઘુવંશી યુવા અગ્રીણી રાકેશ દેવાણીનું અલ્ટીમેટમ આપ્યું છે. આપઘાત કેસમાં પોલીસ FIR કરે તેવી માંગ કરી છે. મૃતકના પરિવારજનોએ પુરાવા સાથે લેખિત અરજી આપી છે. ગીર સોમનાથ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો પોલીસ 24 કલાકમાં કાર્યવાહિ નહી કરે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
24 કલાકમાં યોગ્ય કાર્યવાહિ નહી થાય તો જલદ કાર્યક્રમો કરશું
આ બાબતે રઘુવંશી સમાજના યુવા અગ્રણી રાકેશ દેવાણીએ જણાવ્યું હતું કે ર્ડા. અતુલ ચગના પરિવારજનો દ્વારા લેખિતમાં અરજી પોલીસને આપવામાં આવી છે. પરિવાર દ્વારા પુરાવા સાથે નામ પણ પોલીસને આપવામાં આવ્યા છે. ત્યારે 24 કલાકમાં પોલીસ દ્વારા ફરિયાદ ફાડીને યોગ્ય કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહિ કરવામાં નહી આવે તો જલદ કાર્યક્રમોની શરૂઆત વેરાવળથી કરીશું તેમ જણાવ્યું હતું.
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ડૉ.અતુલ ચગે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આત્મહત્યા આર્થિક કારણોને લઇ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ન્યાય આપવાની માગ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી
આત્મહત્યા મામલે ડૉ.જલ્પન રૂપાપરાએ પોસ્ટ વાયરલ કરી
વેરાવળના ડૉ.અતુલ ચગની આત્મહત્યા મામલે ડૉ.જલ્પન રૂપાપરાએ ડૉ.અતુલ ચગના પરિવારને ન્યાય આપવાની માગ કરી છે. ડૉ.જલ્પન રૂપાપરાની અતુલ ચગ વિશે લખેલી પોસ્ટ વાઇરલ કરી છે તેમણે લખ્યું છે કે, ડૉ. ચગ ચોરવાડના નારણભાઇ ચુડાસમા પાસે પેસા માંગતા હતા અને ડૉ.ચગને હું મળ્યો ત્યારે તેમણે મને નાણાની વાત કરી હતી. તેમણે લખ્યું કે, ડૉ.ચગને અઢી કરોડ જેટલા રૂપિયા ચોરવાડના નારણભાઇ પાસેથી લેવાના હતા. તેમણે લખ્યું કે, નારણભાઇ રૂપિયા ન આપતા હોવાથી ડૉ.ચગ વ્યથિત હતા અને ડૉ.ચગ અને તેના પરિવારને ન્યાય મળવો જોઇએ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો