બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Bijal Vyas
Last Updated: 03:00 PM, 27 July 2023
Vastu Tips:જાણે-અજાણે આપણે ઘણી વાર એવી ઘણી તૂટેલી અને નકામી વસ્તુઓ આપણા ઘરમાં રાખીએ છીએ જે કોઈ કામની નથી હોતી. પછી શું તેને એક ખૂણામાં મૂકીને ભૂલી જાઓ છો. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાની ભૂલ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જી હા, વાસ્તુ અનુસાર, ઘરમાં તૂટેલી અને નકામી વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.જેના કારણે તમારા ઘરમાં ગરીબી અને અશાંતિ ફેલાઈ શકે છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે અને પરિવારમાં સમૃદ્ધિ આવે તો આજે જ આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો.
1. ઘરમાં તૂટેલો અરીશો ના રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ક્યારેય પણ તૂટેલો અરીશો કે કાચ ના રાખવો જોઇએ અને ના ક્યારેય તૂટેલી કાચની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. કારણ કે આનાથી પરિવારમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે સાથે તેનાથી મા લક્ષ્મી નારાજ થઇ જાય છે જેના કારણે ઘરમાં દરિદ્રતા આવી જાય છે. તેથી ઘરમાં તૂટેલી અરીશો કે કાચની વસ્તુઓ ના રાખવી જોઇએ.
2. તૂટેલા વાસણનો ઉપયોગ ના કરો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ક્યારેય તૂટેલા વાસણો ન રાખવા જોઈએ. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. વાસ્તુ કહે છે કે આવા વાસણો ઘરમાં રાખવાથી ગરીબી આવે છે, જેના કારણે ક્યારેક લોન લેવી પડે છે. આવી સ્થિતિમાં જો તમે આવા વાસણને ઘરમાં રાખશો તો દેવી લક્ષ્મી તેનાથી નારાજ થશે. તેથી, તૂટેલા અથવા તિરાડવાળા વાસણો સિવાય, વ્યક્તિએ તૂટેલા પલંગનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ.
3. પલંગ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તૂટેલો પલંગ ના રાખવો જોઇએ, તેનાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે, સાથે જ ઘરમાં અશાંતિ રહેવા લાગે છે.
4.ઘડિયાળ
વાસ્તુ કહે છે કે, ક્યારેય પણ ઘરમાં ખરાબ કે બંધ ઘડિયાળ ના રાખવી જોઇએ, કારણ કે ઘરમાં આનાથી પરિવારની પ્રગતિમાં અડચણ આવી શકે છે સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જી ઓછી થવા લાગે છે અને નેગેટિવ એનર્જી વધવા લાગે છે. જેના કારણે ઘરમાં તણાવનો માહોલ ઉત્પન્ન થાય છે. તેથી તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તેને તરત જ હટાવી દો.
5. ફોટો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ફોટો અથવા પેઇન્ટિંગ હોય તો તેને તરત જ દૂર કરો. કારણ કે તે વાસ્તુ દોષ લાગે છે. આ સિવાય તમારા ઘરના સભ્યો પર પણ ખરાબ અસર પડે છે.
6. ઘરનું ફર્નિચર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ,ઘરનું ફર્નિચર પણ પરફેક્ટ હોવું જોઈએ. કારણ કે જો ફર્નિચર તૂટે તો તેની ખરાબ અસર આપણા જીવન પર પણ પડે છે. તેમજ તેના કારણે પરિવારના સભ્યોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
7. તૂટેલો દરવાજો
જો તમારા ઘરની કોઈ બારી કે કાચ તૂટે તો તેને તાત્કાલિક ઠીક કરો. તૂટેલા કાચને પણ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. જો તમારા ઘરનો કોઈ દરવાજો તૂટી ગયો હોય તો તેને તરત જ બદલો અથવા ઠીક કરાવો. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ક્યારેય તૂટેલા દરવાજામાંથી પ્રવેશતી નથી.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો