સુરતના વોર્ડ નંબર 1થી 12માં અશાંત ધારો લાગુ કરાયો છે. તો વડોદરાના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ધારો લાગુ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ધારો લાગુ કરવામાં આવતા હવે કોઈપણ સ્થાવર મિલકતોના વેચાણ માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભાજપના ધારાસભ્યોઓ આ ધારો લાગુ કરવા માટે માગ કરી હતી. આ ધારાની ટૂંકી સમજ સમજીએ તો મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે.
જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. કોમી તોફાની પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવવામાં આવ્યો હતો. તોફાનો બાદ કેટલાક ધર્મના લોકો મિલકતો પચાવી પાડતા હતા જેના કારણે આ કાયદો બનાવવામાં આવ્યો હતો.
<iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/zNg3Kyd3pnk" frameborder="0" allowfullscreen></iframe>
- મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે
- મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે
- કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે
- મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે
- કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે
- કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય
- કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી
- જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો
- તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા
- કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી
અશાંત ધારા એટલે શું?
- મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે
- મિલકત વેચવા માટે કલે~ટરને જાણ કરવી પડે
- કલે~ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે
- મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે
- કલે~ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે
- કલે~ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય
- કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી
- જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો
- તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા
- કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી