બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dinesh Goswami of Kodinar started a campaign to save whale sharks
Kishor
Last Updated: 10:18 PM, 13 October 2023
ગુજરાતના દરિયાકિનારે આવતી વહેલ શાર્કને બચાવવા માત્ર પાંચ ધોરણ ભણેલા એક વ્યક્તિએ ઝુંબેશ ઉપાડી હતી.હાલ તે ઝુંબેશ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વટવૃક્ષ બનીને ઊભી છે. હાલ કોડીનારમાં રહેતા અને ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડાં ગામમાં જન્મેલા દિનેશ ગોસ્વામી વહેલ શાર્કના તારણહાર તરીકે ઓળખાય છે. દિનેશએ માછીમારોને સમજાવ્યું કે, 'વ્હેલ શાર્ક સમુદ્રને શુદ્ધ કરવાનું કામ કરે છે.જેને લઈ અન્ય માછલીઓની વસ્તી દરિયામાં વધે છે.જે આખરે આપણા ફાયદામાં છે. વ્હેલ શાર્ક બચાવો અભિયાનની વિશ્વના વિકાસશીલ અને વિકસિત દેશોએ શરૂઆત કરી ભારત પણ તેમાં સહભાગી બન્યું છે. વધુમાં જાળનાં વળતર સ્વરૂપે સરકારમાંથી જે ચોક્કસ રકમ સરળતાથી માછીમારોને મળી રહે તેનું લાઈઝેનિંગ કર્યું હતું. આના પરિણામ સ્વરૂપે સેંકડો વ્હેલ શાર્કને બચાવી શકાય છે.
જાપાન, તાઇવાન જેવા દેશોમાં ભારતથી વહેલ એક્સપોર્ટ થતી
કોડીનારના દિનેશ ગોસ્વામીએ વહેલ શાર્કને બચાવવાની ઝૂંબેશ 1997માં શરૂ કરી હતી. અત્યાર સુધી 500થી વધારે વહેલ શાર્કનાં જીવ બચાવવામાં નિમિત્ત બન્યા છે. કાંઠા પર માછીમારો વહેલ શાર્કને પકડી લાવતા અને તેને ચીરીને તેના માંસ, ચામડી, લિવર અને પાંખોને વેચી તેનો વેપાર કરતા હતા. દિનેશભાઇના કહેવા પ્રમાણે એ જમાનામાં માછીમારોને એક વહેલ શાર્કનો શિકાર કરવાથી દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થતી હતી. વહેલ શાર્કને માછીમારો કાપીને વેચી દેતા. જાપાન, તાઇવાન જેવા દેશોમાં ભારતથી વહેલ એક્સપોર્ટ થતી હતી.
આ રીતે કરતા હતા ઉપયોગ
વહેલનાં લિવરમાંથી લાકડાં પર ચોપડવાનું તેલ બને છે, જેનાથી લાકડું લાંબા સમય સુધી ટકી શકે છે એના માસમાંથી સર્જરી વખતે વપરાતો દોરો બને છે. એટલે જ મૂળ દ્વારકા, સૂત્રાપાડા, વેરાવળ, માંગરોળ, કોટડા, માઢવડનાં સમુદ્ર કિનારાનાં ગામોમાં વહેલ દેખાતા જ માછીમારો એને પકડી લેતા હતા.વહેલ શાર્ક સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી આ કિનારાઓ પર આવે છે. અહીંના કિનારા સાફ છે. પાણી હુંફાળું છે. જેથી શ્રીલંકાનો દરિયો ખેડી મડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયાથી આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર શિયાળુ ઋતુ ગાળવા માટે વહેલ શાર્ક આવે છે.
1997થી લઈને વર્ષ 2000 સુધી આ ઝુંબેશ ચલાવી
સમુદ્રની સોંથી મોટી અને મહાકાય માછલી તરીકે ઓળખાતી વહેલ શાર્કને બચાવવા માટે દિનેશભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. આ જીવને ન મારવા માટે માછીમારોને સમજાવવા માટે તેઓ તેમના પટેલો (પ્રમુખ)ને મળ્યા હતા. બાદમાં લોકસંપર્ક યાત્રાની શરૂઆત કરી કોડીનારથી દીવ સુધી માછીમારોને વહેલને બચાવવા માટે જાગૃત કર્યા હતા. તેઓ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને પણ મળ્યા હતા. જ્યાં વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇંડિયાની મદદ માંગી 1997થી લઈને વર્ષ 2000 સુધી આ ઝુંબેશ ચલાવી હતી. જેમાં સાથે ગુજરાત સરકાર, ફોરેસ્ટ વિભાગ, વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ્સ અને ધાર્મિક ગુરુઓને પણ જોડ્યા. "વર્ષ 2000માં જ્યારે પહેલી વહેલ શાર્ક બચાવી હતી.
હિંસક જળચર જીવોનો ભય
2001માં ગુજરાત સરકારે વહેલ શાર્કના શિકાર પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો. સાથે જ વાઇલ્ડ લાઇફ એક્ટ અંતર્ગત સાત વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. હવે ગુજરાતના દરિયા કિનારે આવતી શાર્કને મારવાના બદલે તેમને બચાવવાઈ છે. ભૂલથી પણ વહેલી શાર્ક જાળમા આવે તો તેનું રેસ્ક્યુ કરી ફરી દરિયામાં મૂકે છે. રેસ્ક્યુ ઑપરેશન સમયે આવતી મુશ્કેલીઓ વિશે દિનેશ કહે છે. ઘણીવાર એવું બને છે કે ફસાયેલી વહેલ શાર્કનું વજન અમારી બોટના વજનથી પણ બમણું હોય છે. વહેલને જાળમાંથી છોડાવવી મુશ્કેલ બને છે. સમુદ્રમાં બોટ પલટી ખાઈ જાય છે. અમારા જીવ પર જોખમ આવે છે. આ સિવાય સમુદ્રી તોફાનો અને અન્ય હિંસક જળચર જીવોનો ભય પણ બન્યો રહે છે.
500 થી વધુ વહેલ શાર્કને દિનેશ ગૌસ્વામીએ બચાવી
દિનેશ ગોસ્વામી અને જિગ્નેશ ગોહેલે પ્રકૃતિ નેચર ક્લબ બનાવી છે. જેના થકી તેઓ દરેક પ્રકારના જળચર પ્રાણીઓને બચાવવાનું કામ પણ કરે છે. તેમની સંસ્થા વહેલ શાર્કને બચાવવાની સાથે દરિયાઈ કાચબા ઉપર સંશોધન કરે છે. સમય જતા 'પ્રકૃતિ નેચર કલબ' નામની સંસ્થા ઉભી કરી જે હાલ પણ કાર્યરત છે.આ સંસ્થાનાં નેજા તળે 500 થી વધુ વહેલ શાર્કને દિનેશ ગૌસ્વામીએ બચાવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો