બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Delhi Court sends Delhi Deputy CM Manish Sisodia to CBI remand till March 4

દિલ્હી દારુ કૌભાંડ / BREAKING : મનીષ સિસોદીયાને મોટો ઝટકો, કોર્ટે પાંચ દિવસની CBI કસ્ટડીમાં મોકલ્યાં, ન મળ્યાં જામીન

Hiralal

Last Updated: 05:45 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી દારુ કૌભાંડના મુખ્ય આરોપી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને કોર્ટે 4 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.

  • દિલ્હી દારુ કૌભાંડમાં સિસોદીયાની ફરતે ફસાયો કાનૂની ગાળિયો 
  • કોર્ટે મોકલી આપ્યાં સીબીઆઈની કસ્ટડીમાં
  • 4 માર્ચ સુધી રહેશે સીબીઆઈની કસ્ટડીમાં 
  • ગઈ કાલે સીબીઆઈએ કરી હતી ધરપકડ

દિલ્હી દારુ કૌભાંડમાં ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદીયાની ફરતે ફસાયો કાનૂની ગાળિયો વધારે ફસાયો છે. ગઈ કાલે ધરપકડ બાદ આજે સીબીઆઈએ તેમને વર્ચ્યુઅલી દિલ્હીની સીબીઆઈની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યાં હતા જજ નાગપાલ સમક્ષ તેમના રિમાન્ડની માગ કરી હતી. સીબીઆઈની અરજી માન્ય રાખીને કોર્ટે સિસોદીયાને 4 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. 

ગઈકાલની 8 કલાકની પૂછપરછમાં સીબીઆઈને દારુ કૌભાંડમાં સવાલોના સંતોષકારક જવાબ ન મળી શક્યાં હોવાથી મનીષ સિસોદીયાના રિમાન્ડની માગ કરાઈ હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. 

કયા આધારે સિસોદીયાના રિમાન્ડ માગ્યા સીબીઆઈએ

સિસોદીયા માટે પાંચ દિવસના રિમાન્ડની માગ કરતા સીબીઆઈના વકીલોએ કોર્ટમાં એવી દલીલ કરી કે સિસોદીયાએ કેટલાક સવાલોના જવાબ સારી રીતે આપ્યા નથી તેથી તેમની વધુ પૂછપરછની જરુર છે. 

શું દલીલ કરી સિસોદીયાના વકીલોએ 

કોર્ટમાં સિસોદીયા વતી વકીલ મોહિત માથુર અને સિદ્ધાર્થ અગ્રવાલ હાજર રહ્યાં હતા તેમને સીબીઆઈની રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો. સિસોદીયાના વકીલોએ કહ્યું કે જો કોઈ કંઈ કહેવા ન માગતું હોય તો તે ધરપકડનો આધાર ન બની શકે. 

ગઈકાલે થઈ હતી સિસોદીયાની ધરપકડ
ઉલ્લેખનીય છે કે દારૂ કૌભાંડ મામલે સીબીઆઈએ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરીને તેમને આખી રાતે દિલ્હી સ્થિત સીબીઆઈ મુખ્યાલયમાં રાખ્યાં હતા.  સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી.  

શું છે દારુ કૌભાંડ 
આમ આદમી પાર્ટી (આપ)ની મહત્ત્વાકાંક્ષી દિલ્હી એક્સાઇઝ પોલિસીને 31 જુલાઇ 2022ના રોજ રદ કરવામાં આવી હતી. નવી નીતિને રદ કર્યા પછી, દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2020 પહેલા લાગુ કરવામાં આવેલી જૂની આબકારી વ્યવસ્થાને પાછી લાવવાનો નિર્ણય લીધો હતો. એક્સાઇઝ પોલિસી અમલમાં આવતાં જ ઇડી અને સીબીઆઇએ ડેપ્યુટી સીએમના ઘર સહિત દેશના વિવિધ સ્થળો પર અનેક સર્ચ હાથ ધર્યા હતા.22 જુલાઈ, 2022 ના રોજ, એલજી વી.કે. સક્સેનાએ નવી આબકારી નીતિના અમલીકરણમાં કથિત નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ખામીઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દિલ્હીના મુખ્ય સચિવના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દારૂના પરવાનેદારોને અયોગ્ય લાભ આપવામાં આવે છે. એલજીએ દિલ્હીના મુખ્ય સચિવને કથિત ગેરરીતિઓમાં આબકારી વિભાગના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે છૂટક દારૂના લાઇસન્સ માટેની બિડિંગ પ્રક્રિયામાં 'કાર્ટેલાઇઝેશન' ની પણ ફરિયાદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ