બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil's big statement on the transfer of Banchanidhi Pani
Dhruv
Last Updated: 12:30 PM, 6 October 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત રીતે શરૂ છે. તાજેતરમાં જ સુરત અને વડોદરાના મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલનું બંછાનિધિ પાનીની બદલી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.
CR પાટીલનું સુરતથી વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની બદલી મુદ્દે મોટું નિવેદન, કહ્યું 'બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએ, અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે' @CRPaatil
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 6, 2022
બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએ: પાટીલ
CR પાટીલે સુરતના એક કાર્યક્રમમાં હાલ વડોદરા મનપા કમિશનર તરીકે ફરજ બજાવનાર બંછાનિધિ પાનીને લઇને નિવેદન આપતા કહ્યું કે, 'બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.'
તાજેતરમાં જ બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી
ઉલ્લેખનીય છે કે, હજુ ચાર-પાંચ દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરોની પરસ્પર બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા હતા તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. બંછાનિધિ પાની કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે રહ્યાં હતા.
બંછાનિધિ પાની કે જેઓ હવે વડોદરા મનપાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકાર સુધી લેવાઇ હતી.
ત્રણ વર્ષ પૂર્ણ થતાં આંતરિક બદલીના ભાગ સ્વરૂપે પરસ્પર બદલી કરાઇ
તમને જણાવી દઇએ કે, ત્રણ વર્ષ પૂર્ણ થતાં આંતરિક બદલીના ભાગ સ્વરૂપે સુરતના મનપા કમિશનર બંછાનિધિ પાનીને વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે અને સુરતમાં શાલિની અગ્રવાલને કમિશનર તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, PM મોદીની સુરત મુલાકાતના બીજા જ દિવસે બદલીનો ઓર્ડર કરાયો હતો. મનપા કમિશનર બંછાનિધિ પાની સરકારના નજીકના અધિકારી તરીકે માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime