બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress spokesperson Alok Sharma's statement on Megha Patkar issue

પ્રતિક્રિયા / મેધા પાટકર મામલે સફાઇ આપતી રહી જશે કોંગ્રેસ? કહ્યું, કોઈ યાત્રામાં આવે તો રોકી ન શકીએ

Malay

Last Updated: 03:43 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે મેધા પાટકર જોવા મળતા ભાજપ નેતાઓ કોંગ્રેસ પર ગુજરાત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે.

 

  • મેઘા પાટકર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માનું નિવેદન 
  • ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાય છેઃ આલોક શર્મા
  • જે લોકો આવે છે તેમને અમે ઇન્વાઇટ નથી કર્યા : શર્મા 
  • ભાજપ પાસે મુદ્દો નથી તેથી મેધા પાટકરને મુદ્દો બનાવે છેઃ શર્મા 

કોંગ્રેસની ભારત જોડોયાત્રામાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક લોકો સામેલ થઈ રહ્યા છે. જેમાં મેઘા પાટકર પણ યાત્રામાં જોડાતા ભાજપને કોંગ્રેસ પર આરોપ લગાવવાનો મોકો મળી ગયો છે. રાહુલ ગાંધી સાથે મેધા પાટકરની તસ્વીર સામે આવતા ભાજપ નેતાઓ કોંગ્રેસ પર ગુજરાત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે સાથે ગુજરાતની અસ્મીતા સાથે પણ જોડી રહ્યા છે. આ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે જેમાં તેણે કહ્યું છે કે, ભારત જોડો યાત્રામાં કોઈ વ્યક્તિ પ્રતિબંધિત નથી, ભાજપ ઓરીજનલ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ભાવનાત્મક મુદ્દાને ઉછાળી રહ્યું છે.

ભાજપ પાસે મુદ્દો નથી તેથી મેધા પાટકરને મુદ્દો બનાવે છેઃ શર્મા
મેઘા પાટકર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે,  ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાય છે. જે લોકો આવે છે તેમને અમે ઇન્વાઇટ નથી કર્યા. લોકતંત્રમાં સહમતી અને અસહમતી ચાલે છે. ભાજપ ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરે. ભાજપ પાસે કોઈ મુદ્દો જ નથી તેથી તે મેધા પાટકરને મુદ્દો બનાવે છે.

વિજય રૂપાણીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વાસ્તવમાં થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મેધા પાટકર એ વ્યક્તિ હતી, જેણે નર્મદા ડેમ પ્રોજેક્ટને પૂરો થવા દીધો નહોતો. મેધા પાટકરે નર્મદા ડેમ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને ગુજરાતનો વિકાસ થવા દીધો નહોતો. થોડા દિવસ અગાઉ મેધા પાટકર કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા, જે દર્શાવે છે કે કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ છે, જે તેનો સાચો ચહેરો છે.

ભૂપેન્દ્ર પટેલ થયા લાલઘુમ

તો ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્ટીટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રાહારો કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ લખ્યું હતું કે, 'કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની દુશ્મનાવટ દર્શાવી છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્રીય સ્થાન આપીને, રાહુલ ગાંધી બતાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત આ સહન નહીં કરે.'

કોણ છે મેધા પાટકર?
સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. આ જ કારણ રહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેધા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાવો આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ