બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress spokesperson Alok Sharma's statement on Megha Patkar issue
Malay
Last Updated: 03:43 PM, 19 November 2022
કોંગ્રેસની ભારત જોડોયાત્રામાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક લોકો સામેલ થઈ રહ્યા છે. જેમાં મેઘા પાટકર પણ યાત્રામાં જોડાતા ભાજપને કોંગ્રેસ પર આરોપ લગાવવાનો મોકો મળી ગયો છે. રાહુલ ગાંધી સાથે મેધા પાટકરની તસ્વીર સામે આવતા ભાજપ નેતાઓ કોંગ્રેસ પર ગુજરાત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે સાથે ગુજરાતની અસ્મીતા સાથે પણ જોડી રહ્યા છે. આ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે જેમાં તેણે કહ્યું છે કે, ભારત જોડો યાત્રામાં કોઈ વ્યક્તિ પ્રતિબંધિત નથી, ભાજપ ઓરીજનલ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ભાવનાત્મક મુદ્દાને ઉછાળી રહ્યું છે.
ભાજપ પાસે મુદ્દો નથી તેથી મેધા પાટકરને મુદ્દો બનાવે છેઃ શર્મા
મેઘા પાટકર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાય છે. જે લોકો આવે છે તેમને અમે ઇન્વાઇટ નથી કર્યા. લોકતંત્રમાં સહમતી અને અસહમતી ચાલે છે. ભાજપ ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરે. ભાજપ પાસે કોઈ મુદ્દો જ નથી તેથી તે મેધા પાટકરને મુદ્દો બનાવે છે.
વિજય રૂપાણીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વાસ્તવમાં થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મેધા પાટકર એ વ્યક્તિ હતી, જેણે નર્મદા ડેમ પ્રોજેક્ટને પૂરો થવા દીધો નહોતો. મેધા પાટકરે નર્મદા ડેમ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને ગુજરાતનો વિકાસ થવા દીધો નહોતો. થોડા દિવસ અગાઉ મેધા પાટકર કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા, જે દર્શાવે છે કે કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ છે, જે તેનો સાચો ચહેરો છે.
Rajkot| Medha Patkar was the person who didn't let Narmada dam project complete, she protested over it & didn't let Gujarat's development happen. Now Patkar joined Bharat Jodo yatra, which depicts Cong is against development, which is their true face: Ex-Gujarat CM Vijay Rupani pic.twitter.com/yTPLT6m1ok
— ANI (@ANI) November 19, 2022
ભૂપેન્દ્ર પટેલ થયા લાલઘુમ
તો ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્ટીટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રાહારો કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ લખ્યું હતું કે, 'કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની દુશ્મનાવટ દર્શાવી છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્રીય સ્થાન આપીને, રાહુલ ગાંધી બતાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત આ સહન નહીં કરે.'
Congress and Rahul Gandhi have time and again shown their animosity towards Gujarat and Gujaratis. By giving Medha Patkar a central place in his Yatra, Rahul Gandhi shows that he stands with those elements who denied water to Gujaratis for decades. Gujarat will not tolerate this. https://t.co/94jJBz4spP
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 18, 2022
કોણ છે મેધા પાટકર?
સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. આ જ કારણ રહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેધા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાવો આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો