બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Malay
Last Updated: 11:21 AM, 28 August 2023
Vadodara News: અભિનેતા અને પ્રોડ્યુસર સોહન માસ્તર અને તેના પરિવાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ સોહન માસ્તર અને તેના પરિવારજનો પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે લગ્ન સમયે 45 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને કાર આપી હોવા છતાં પતિ અને તેના પરિવારજનો ત્રાસ આપતા હતા. હાલ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ સોહન રાજેન્દ્રભાઇ માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, સુરતના VIP રોડ પર રહેતી પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે, જુલાઈ 2019ના રોજ સોહન માસ્તર અને તેમના સંબંધીઓ મને ઘરે જોવા આવ્યા હતા. જે બાદ બંનેના પરિવારે અમારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અમારી સગાઈ હતી અને તા.28/11/2019ના રોજ અમારા લગ્ન કરવાનું નક્કી થયું હતું.
2019માં મંદિર લગ્ન કર્યા બાદ દાગીના પડાવ્યાનો આક્ષેપ
અમારા લગ્ન નક્કી થયા બાદ સોહન માસ્તરે મને જણાવ્યું હતું કે મારે અત્યારે સિરિયલનું શુટિંગ ચાલે છે, તેથી લગ્નના ફોટા બહાર પાડવા નહીં અને તું મારી પત્ની છું તેવું કોઈને કહેવાનું નહીં, કારણ કે તેના લીધા મારી સિરિયલ પર અસર પડશે. જેથી હું તેમની વાત માની ગઈ હતી. ત્યાર બાદ તેઓ મને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં દર્શનના બહાને લઈ ગયા હતા, જ્યાં તેઓએ અગાઉથી જ લગ્નની તૈયારીઓ કરી દીધી હતી. આ મંદિરમાં જ અમારા લગ્ન કરી દેવામાં આવ્યા હતા. લગ્નના ફોટા પણ પાડવા દેવામાં આવ્યા નહોતા.
હું છેલ્લા 2 વર્ષથી પિયરમાં રહું છુંઃ પરિણીતા
લગ્ન બાદ તેઓ મને કોઈ સગા-સંબંધીઓના ઘરે પણ લઈ જતા નહતા, મારી સાથે મારઝૂડ કરતા હતા. મારા પિતાએ લગ્ન સમયે 45 તોલા સોનું, કાર અને ચાંદીના દાગીના આપ્યા હોવા છતાંય ત્રાસ આપતાં હતા. મને પ્રેગનન્સી રહેતા મારા પતિ સોહન માસ્ટર મને મારા પિતાના ઘરે છોડી ગયા હતા. હું છેલ્લા 2 વર્ષથી પિયરમાં રહું છું, મે અનેકવાર તેઓને ફોન કર્યા હતા. પરંતુ તેઓ કોઇ જવાબ આપતા નથી.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
હાલ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે પતિ સોહન માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર સામે કાર્યવાહી હાથ ધરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો