બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / 'મોત પછી શું થાય છે' છોકરાને 'રહસ્યમાં રસ' પડ્યો, મૃત્યુને લગાડી લીધું ગળે!

OMG / 'મોત પછી શું થાય છે' છોકરાને 'રહસ્યમાં રસ' પડ્યો, મૃત્યુને લગાડી લીધું ગળે!

Last Updated: 06:16 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેરઠમાં એક સગીર છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી પરંતુ જીવન ટૂંકાવતાં પહેલાં તેણે જે કામ કર્યું તે ભારે હેરાનીભર્યું છે.

યુપીના મેરઠમાં 17 વર્ષીય સગીર છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી, જીવન ટૂંકાવતા પહેલા છોકરાએ ગૂગલ પર સર્ચ કર્યું હતુ કે 'મર્યા પછી શું થાય છે', આવું સર્ચ કર્યાં બાદ તરત ઘરમાં આપઘાત કરી લીધો હતો. હકીકતમાં માતા અને મોટા ભાઈએ મિત્રો સાથે ફરતો અટકાવવા માટે તેની રોયલ એનફિલ્ડ બુલેટ વેચી દીધી અને આ વાતે નારાજ થતાં તેણે પોતાની જાતને ગોળી મારી દીધી.

મર્યા પછીના જીવનમાં રસ પડ્યો કે શું?

9મા ધોરણમાં ભણતા આ કિશોરે આપઘાત પહેલાં એવું સર્ચ કર્યું હતું કે "મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે?, તેણે આવું શા માટે કર્યું તે પણ ભેદવાળી વાત છે, તેને કદાચ મોત પછીની દુનિયામાં રસ પડ્યો હોઈ શકે. આ ઘટના 11 જાન્યુઆરીએ બની હતી, જ્યારે છોકરાનો મોટો ભાઈ તેની માતાને મેરઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી લેવા ગયો હતો. દરવાજો અંદરથી બંધ હતો અને તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો. માતા અને તેનો મોટો પુત્ર બારીમાંથી અંદર પ્રવેશ્યા અને છોકરાને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ભણવામાં ધ્યાન નહોતો આપતો, મિત્રો સાથે રખડ્યાં કરતો

પોલીસે જણાવ્યું કે છોકરાની માતા મેરઠ મેડિકલ કોલેજમાં નર્સ છે અને તેનો મોટો ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે, તેના પિતાનું ગયા વર્ષે અવસાન થયું હતું. 17 વર્ષીય બાળક તેના અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો અને તેના પરિવારના સભ્યો તેને મિત્રો સાથે બાઇક પર ફરવા બદલ વારંવાર ઠપકો આપતા. આ છોકરો પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.

મોત પછી જીવન હોવાના ઘણા દાવાઓ

મોત પછીની દુનિયાના ઘણા બધા દાવાઓ કરાયા છે. મોટાભાગના લોકોના દાવાઓમાં સમાનતા પણ જોવા મળી છે. આ બધું આપણને એવું માનવા પ્રેરે છે કે જરુરથી મોત પછીની પણ કોઈક દુનિયા હોવી જોઈએ. આજ દિન સુધી મૃત્યુ જીવનનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે, મૃત્યુ પછી શું થાય છે, કેવું હોય છે જીવન કે પછી બીજું કંઈક, આ સવાલના જવાબ હજુ સુધી નથી મળ્યાં, વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા મોત પછીના જીવનને સાબિત પણ કરી આપ્યું છે પરંતુ જેવો જોઈએ તેવો ખુલાસો કે સંતોષકારક જવાબ મળ્યો નથી, તેથી તે હજુ પણ એક રહસ્ય જ બની રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meerut crime crime news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ