બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ભારત / citizenship amendment act caa modi government caa notification pakistan afghanistan bangladesh hindu refugee
Dinesh
Last Updated: 07:29 PM, 11 March 2024
આગામી લોકસભાની ચૂંટણી પહેલા CAAને લઈ કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાગરિકતા સંશોધન કાયદાને દેશ ભરમાં લાગુ કરી દીધો છે. CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
जो कहा सो किया...
— Mehul kakani ( मोदी का परिवार ) (@iMehulkakani) March 11, 2024
मोदी सरकार ने नागरिकता संशोधन कानून (CAA) की अधिसूचना जारी कर पूरी की अपनी गारंटी। pic.twitter.com/xd6yxkubTj
6 લઘુમતીઓ નાગરિકતા અપાશે
જે લોકોના રજીસ્ટ્રેશન પછી સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન,પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 6 લઘુમતીઓ હિન્દુ,ખ્રિસ્તી,શિખ,જૈન,બૌદ્ધ અને પારસીને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.
CAAને લઈને નોટિફિકેશન જાહેર, વિસ્થાપિતોને નાગરિકતા મળવાનો રસ્તો થયો મોકળો, હવે 3 દેશના શરણાર્થીઓને મળી શકશે ભારતની નાગરિકતા #CAA #CitizenshipAmendmentAct #caanews #NarendraModi #PMOIndia #india #gujaratinews #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2024
મુસ્લિમો કેમ નહીં મળે નાગરિકતા ?
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું આ સૌથી મોટું કારણ એક આ પણ છે. વિરોધ કરનારા લોકો આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. તેમનું કહેવું છે કે જ્યારે નાગરિકતા આપવાની છે તો ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે? મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી?
જેના પર સરકારનો તર્ક છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન-મુસ્લિમો પર અત્યાચાર આચરવામાં આવે છે. જેના કારણથી બિન-મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી આવે છે. જેથી આમાં માત્ર બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ અહીં રહેવું પડશે જે પછી કોઈ પણ ધર્મનો હોય
BIG NEWS: આથી CAAનો દેશમાં અમલ, મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન#CAA #CitizenshipAmendmentAct #PMNarendraModi #VTVGujarati #vtvcard pic.twitter.com/wbJwNOlQox
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2024
કેટલા લોકોને નાગરિકતા મળશે?
નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવતાની સાથે જ આ કાયદા દ્વારા 31 હજાર 313 લોકો નાગરિકતા મેળવવા માટે પાત્ર બનશે. જાન્યુઆરી 2019માં સંયુક્ત સંસદીય સમિતિએ આ બિલ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા. આ કમિટીમાં IB અને RAWના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા બિન-મુસ્લિમોની સંખ્યા 31,313 હતી. કાયદાના અમલ પછી તરત જ તેમને નાગરિકતા મળશે. આ લોકોમાં સૌથી વધુ 25 હજાર 447 લોકો હિન્દુ અને 5 હજાર 807 શીખ હતા. આ સિવાય બૌદ્ધ અને પારસી ધર્મના લોકોનો પણ સમાવેશ થાય છે.
અત્યારે ભારતીય નાગરિકતાને લઇ શું સ્થિતિ છે?
9 રાજ્યમાં 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ,ગૃહ સચિવ નિર્ણય લઇ શકે છે. ગૃહમંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 1,417 વિદેશીઓને નાગરિકતા આપી છે. વર્ષ 2021-22ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 1,417 લોકોને ભારતીય નાગરિકતા અપાઈ છે. બિન-મુસ્લિમ લઘુમતિઓને નાગરિકતા આપવામાં આવી છે.પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને નાગરિકતા અપાઇ છે.
વાંચવા જેવું: PM મોદીનું એલાન: DRDOનું મિશન દિવ્યાસ્ત્ર સફળ, જાણો કેમ આ મિશન હતું ખાસ
આ 9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવે છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
છત્તીસગઢ
હરિયાણા
પંજાબ
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
દિલ્લી
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime