બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 04:56 PM, 13 October 2022
ટૂંક સમયમાં શિયાળો શરૂ થવાનો છે અને આ સમયે સિઝનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ફેરફારમાં માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને વૃદ્ધો પણ શરદી કે અન્ય રોગોનો શિકાર બને છે. આ ઈમ્યુન સિસ્ટમમાં નિષ્ફળતાને કારણે થઈ શકે છે. ભોજન દ્વારા, આવી ઋતુનો ઉપચાર પણ કરી શકાય છે. જાણો તમે કયો ખોરાક ખાઈ શકો છો અને સ્વસ્થ રહી શકો છો.
લીંબુ
આ એક એવો ખોરાક છે. જેમાં ઈમ્યૂનિટીને બૂસ્ટ કરનાર જરૂરી તત્વો વિટામિન સી યોગ્ય માત્રામાં રહેલું છે. બદલાતી સિઝનમાં તમે સવારે વહેલા ઉઠીને ગરમ પાણીમાં લીંબુનો રસ પી શકો છો. રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત આ નુસ્ખાનો ફાયદો ત્વચાને પણ પહોંચશે.
આમળા
રોગપ્રતિકારક શક્તિ વધારવા અથવા રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમળા એ સુપરફૂડ છે, જે વિટામિન સીથી ભરપૂર છે. જો તમે ઇચ્છો તો દરરોજ તેનું સેવન કરી શકો છો.
તજ
એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવતા તજને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાયરલ હોય કે બેચેની રહેતી હોય તજમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કોરોના કાળમાં લોકોએ તજનો ઉકાળો પીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કર્યો. તેને રૂટીનનો એક ભાગ બનાવો.
અશ્વગંધા
તેને એક એવી જડીબુટ્ટી માનવામાં આવે છે. જે વાઈરલની સાથે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખે છે. વર્ષોથી શરદીમાં અશ્વગંધાનું સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ બદલાતી સિઝનમાં તમારે અશ્વગંધામાંથી બનેલી વસ્તુઓનું નિયમિતપણે સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો