અમદાવાદ શાહઆલમ ખાતે થયેલી હિંસા મામલે પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયા છે. જેમાં 18 ડિસેમ્બરના રોજ મિલ્લતનગર ચાર મિનાર ખાતે બેઠક યોજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુફિસ અહમદ સહજાદ નામના શખ્સે બેઠક યોજી હતી અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું.
પોલીસની તપાસમાં હિંસા મામલે થયાં ખુલાસા
18 ડિસે.ના મુફિસ અહમદ-સહજાદે યોજી હતી બેઠક
બેઠકમાં કરાયું હતું ઉશ્કેરણીજનક ભાષણ
આ ઉપરાંત MS નામથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું..આ વોટ્સએપ ગૃપમાં પણ ઉશ્કેરણીજનક ભાષણ કરાયા હતા. તેમજ વોટસએપ ગ્રુપમાં અમદાવાદના નામે લખનઉના વિરોધનો ફેક વીડિયો પોસ્ટ કરાયો હતો.
સહજાદ સહિત 13ના રિમાન્ડ મંજૂર
જેને લઈને અમદાવાદમાં હિંસા વકરી હતી. ત્યારબાદ વોટસએપ ગ્રુપ ડિલિટ કરાયું હતું. આથી પોલીસે વોટ્સએપનો ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. તો અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે પણ સહજાદ સહિત 13ના રિમાન્ડ મંજૂર કર્યા છે.