બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 8માં પગાર પંચનો પેચ ક્યાં ફસાયો? સરકારના મૌનથી સરકારી કર્મચારીઓની ચિંતા વધી

બિઝનેસ / 8માં પગાર પંચનો પેચ ક્યાં ફસાયો? સરકારના મૌનથી સરકારી કર્મચારીઓની ચિંતા વધી

Chintan Chavda

Last Updated: 11:50 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission: NC-JCM (નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મિકેનિઝમ) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ 18 જૂન, 2025 ના રોજ કેબિનેટ સચિવને એક પત્ર લખ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારે હવે Terms of Reference (ToR), એટલે કે કમિશનની કામગીરીની શરતો જાહેર કરવી જોઈએ.

કેન્દ્ર સરકારે વર્ષની શરૂઆતમાં 8મા પગાર પંચ અંગે સંકેતો આપ્યા હોવા છતાં, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આનાથી દેશભરના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોમાં શંકા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

NC-JCM (નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મિકેનિઝમ) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ 18 જૂન, 2025 ના રોજ કેબિનેટ સચિવને એક પત્ર લખ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારે હવે Terms of Reference (ToR), એટલે કે કમિશનની કામગીરીની શરતો જાહેર કરવી જોઈએ.

money

સરકારની જાહેરાત, પરંતુ કોઈ ઔપચારિક આદેશ નહીં

મીડિયા અનુસાર, શિવ ગોપાલ મિશ્રાએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025 માં, કર્મચારી મંત્રાલય (DoPT) એ જાણ કરી હતી કે સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે અને તેની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય, કર્મચારીઓના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા, જે સમયસર આપવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધી ન તો ToR જારી કરવામાં આવ્યા છે, ન તો કમિશનની રચના અંગે કોઈ સત્તાવાર સૂચના આવી છે. આ ચુપ્પી કર્મચારીઓ અને પેન્શનરોમાં આશંકા વધારી રહ્યું છે.

માત્ર પાગર નહીં, પેન્શન પર પણ શંકા

સૌથી મોટી ચિંતા નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) ની છે. પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરના નાણાં બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકાર પેન્શનરોને પગાર પંચના લાભ આપવા માંગે છે કે નહીં, તે સંપૂર્ણપણે સરકારના વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે. આનાથી 65 લાખ પેન્શનરોમાં રોષ અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. તેઓ ઇચ્છે છે કે જેમ સેવામાં રહેલા કર્મચારીઓને પગાર સુધારો મળે, તેમ તેમને પણ તે જ લાભ મળે.

app promo3

કર્મચારી સંગઠનોની ત્રણ પ્રમુખ માંગ

  • ToR જાહેર કરવામાં આવે: આનાથી અફવાઓ બંધ થશે અને કર્મચારીઓમાં વિશ્વાસ જળવાઈ રહેશે.
  • પેન્શનરોને સમાન અધિકારો મળે: પગાર સુધારણાના લાભ કર્મચારીઓ અને પેન્શનરો બંનેને મળવા જોઈએ.
  • કમિશનની રચના જલ્દી થાય: જેથી રિપોર્ટ સમયસર આવી શકે અને 2026 પહેલા તેનો અમલ થઈ શકે.

વધુ વાંચો:સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, યુનિફાઈડ પેન્શન સ્કીમ પર મોટું અપડેટ

શું સરકાર પોતાના વચનથી પાછી પડી રહી છે?

NC-JCM ના અનુસાર, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતાના અભાવે, કર્મચારીઓને ડર છે કે 8મું પગાર પંચ ફક્ત એક રાજકીય નિવેદન બની શકે છે. શિવ ગોપાલ મિશ્રા સ્પષ્ટપણે કહે છે કે જો સરકાર ટૂંક સમયમાં સ્પષ્ટ માર્ગદર્શિકા નહીં આપે, તો તે માત્ર મનોબળને નબળું પાડશે નહીં પરંતુ સરકારના ઇરાદા પર પણ પ્રશ્નો ઉભા કરશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business News 8th Pay Commission Modi Government
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ