બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / Politics / Brainstorming over the names of candidates on 26 seats of Gujarat Lok Sabha
Dinesh
Last Updated: 07:56 PM, 27 February 2024
લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે ભાજપે ઉમેદવારો નકકી કરવાની કવાયત તેજ કરી દીધી છે. એવુ પણ મનાય છે કે, આવતીકાલે ગુજરાતમા લોકસભાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આ સંદર્ભમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ કહ્યુ છે કે, દીલ્હીમાં બેઠક મળ્યા બાદ કેન્દ્રીય હાઈ કમાન્ડ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે.
રિપોર્ટ દીલ્હી હાઈકમાન્ડને મોકલાશે
ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ ગુજરાતમાં રાતોરાત ચૂંટણી નિરીક્ષકો બનાવી દેવાયા હતા. જે નિરીક્ષકોએ તમામ બેઠકો પર જઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કેટલાય સિનિયર અને જૂનિયર નેતાઓએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્ચારબાદ આજે મંગળવારે ગાંધીનગરમાં સીએમ બંગલે પ્રદેશ પાર્લામેન્ટીની મહત્વની બેઠક મળી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેવાના છે. જેમાં નિરીક્ષકો દ્વારા રિપોર્ટ જમા કરાવાશે. જેના આધારે દરેક બેઠક માટે ત્રણ ઉમેદવારોની પેનલ બનાવાશે. જેનો રિપોર્ટ દીલ્હી હાઈકમાન્ડને મોકલાશે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ લેવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. 25 બેઠકો પર અંદાજે 450 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. જેમાં મોટાભાગની બેઠકો પર 25 કરતાં વધુ હોદ્દેદારોએ દાવેદારી નોંધાવી છે
વાંચવા જેવું: ગૃહમંત્રી અમિત શાહે કલોલ મેડીકલ કોલેજનું કર્યું ઉદ્ઘાટન, કાર્યક્રમમાં CMનું એલાન, આવનાર 5 વર્ષમાં 10 મેડિકલ કોલજ બનશે
સી આર પાટીલે શું કહ્યું ?
આ અંગે સી આર પાટીલે કહ્યુ કે, ત્રણ ત્રણ નામો ઉપરાંત જરૂર લાગશે તો અન્ય નામો પણ મોકલાશે. જેમાંથી કયા ઉમેદવારને ટિકિટ આપવી તેનો નિર્ણય દીલ્હીની પાર્લામેન્ટી બોર્ડ કરશે. તેમણે વધુમાં એમ પણ કહ્યુ હતું કે, અમે મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપીએ છીએ. જેથી આ ચૂંટણીમાં મહિલાઓને વધુ બેઠકો મળી શકે છે. ટિકિટની ફાળવણી કરવાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટી બોર્ડનો છે. આવતીકાલની દીલ્હીની બેઠક બાદ ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. રાજકીય નિષ્ણાંતોના મતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બાદ કરતા મોટા ભાગના હાલના સાંસદની ટિકિટ કપાઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ