બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Botad, Gadhada, start Railway station service, facility
Kishor
Last Updated: 06:07 PM, 6 June 2022
લાખો લોકોના આસ્થાના કેન્દ્ર અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થ ધામ એવા બોટાદના ગઢડા શહેરમાં રેલવેની સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. ગઢડા શહેરમાં વર્ષો પહેલા ધમધમતું રેલવે સ્ટેશન હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. 1972માં આ સ્ટેશન પર ટ્રેન આવતી હતી. પરંતુ હાલ તે બંધ હાલતમાં છે જેને ફરી શરૂ કરવાની લોકોમાંથી માંગ ઉઠી છે.
ગઢડામાં લોકો રેલવેની સુવિધાથી વંચિત
ધાર્મિક ક્ષેત્રે વિશ્વ ફલક પર મોટુ સ્થાન ધરાવતું ગઢડા શહેર રેલ્વે સહિતની સુવિધાઓથી વંચિત છે. ગઢડાથી ઢસા જંકશન માત્ર 21 કિલોમીટર થાય છે ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે અને ગઢડાથી બોટાદ પણ 20 કિલોમીટર થાય છે ત્યાં પણ રેલેવ જંકશન છે. આથી વર્ષોથી વિકાસ ઝંખતા ગઢડા શહેરમાં બંધ પડેલું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થાય તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. નોંધનિય છે કે, 1972 સુધી ગઢડા શહેરમાં રેલવે સેવા શરૂ હતી. જે સુવિધામાં કોઇ કારણસર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ રેલવે બંધ થતાં આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. આથી વર્ષોથી મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. જે મામલે સ્થાનીક આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા માંગને ગણકારવામાં ન આવી હોવાની પણ રાવ ઉઠી છે.
રેલવે સેવા શરૂ થાય તો ભક્તો-સ્થાનિક મુસાફરોને મોટો ફાયદો
મહત્વનું છે કે, ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય બે મંદિર આવેલા છે અને સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ એટલે ગઢડા શહેર. ત્યારે લોકોની માંગણીને ધ્યાને લઇને આ રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો દર્શને જતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને સ્થાનિક મુસાફરો સહિતનાઓને મોટો ફાયદો થઇ શકે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. બીજી તરફ લોકોએ સ્થાનિક અગ્રણીઓને રજૂઆત કરી આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવાની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં વેપારી આગેવાનો, સામાજિક સંસ્થાઓ સહિતના એક સૂર થઇ રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime