બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Assembly election 2023 / Politics / bjp caste equation patidar obc candidates
Vaidehi
Last Updated: 05:14 PM, 18 November 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી અને પાટીદાર ઉમેદવારો પર વધુ વિશ્વાસ દર્શાવ્યો છે. પાર્ટીએ આ વખતે 58 ઓબીસીનાં ઉમેદવારોને ચૂંટણીનાં મેદાનમાં ઊતાર્યાં છે. તે સિવાય કુલ 45 જેટલા પાટીદાર ઉમેદવારોને ભાજપની ટિકીટ આપવામાં આવી છે. આ ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ અને 15 અનુસૂચિત જાતિનાં ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે.
45 પાટીદારોને ટિકીટ
બીજેપીનાં ઉમેદવારોની યાદીમાં 45 પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાંથી 25 લેઉઆ પટેલ અને 20 કડવા પટેલ છે. 2015નાં પાટીદાર આંદોલને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘણું નુક્સાન પહોંચાડ્યું હતું. આ વખતે પાટીદાર આંદોલન શાંત છે. ભાજપે પાટીદાર આંદોલનનો મોટો ચહેરો હાર્દિક પટેલને પણ વીરમગામની સીટ આપી છે. તો ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર બીજેપીની ટિકીટથી ચૂંટણી લડશે.
આ સમુદાયનાં વોટરોને આપી ટિકીટ
બીજેપીએ જે ઓબીસી ઉમેદવારોને ચૂંટણીનાં મેદાનમાં ઊતાર્યાં છે તે કોલી, આહીર, ઠાકોર, કરદિયા, ચૌધરી, વધેર, મેર, ખારવા, રાણાગોલા, માડી, પંચાલ, બારોટ, મોદી, મિસ્ત્રી, રબારી અને સતવારા સમુદાય સાથે સંકળાયેલા છે. બીજેપીએ કેવળ 16 મહિલા ઉમેદવારોને આ વખતે ટિકીટ આપી છે. બીજેપીનાં 13 ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી ઓછી છે.
13 પૂર્વ વિધાયકોને આપી ટિકીટ
પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પૂર્વ વિધાયકોને મેદાવમાં ઊતાર્યાં છે જેને 2017માં ટિકીટ આપવામાં આવી નહોતી. તેમાં પૂર્વ વિધાયક કાંતિલાલ અમૃતિયા પણ સમાવિષ્ટ છે. તેમણે મોરબી પુલની દુર્ઘટનામાં મચ્છૂ નદીમાં કૂદીને લોકોનો જીવ બચાવ્યો હતો. પાર્ટીએ આ વખતે તેમને મોરબીની ટિકીટ આપી છે.
બીજેપીનાં આ ચહેરાઓ કરશે ચૂંટણી પ્રચાર
આ વખતે ચૂંટણી જીતવા માટે બીજેપી જોરદાર તૈયારીઓ કરી રહી છે. પાર્ટીનાં કેટલાય દિગ્ગજ નેતા પ્રદેશમાં અલગ-અલગ જનસભાઓ અને રેલીઓ કરવાનાં છે. આ નેતાઓમાં મહારાષ્ટ્રનાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી વી કે સિંહ, ઉત્તરપ્રદેશનાં ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા શુભેંદુ અધિકારી સમાવિષ્ટ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime