બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Kishor
Last Updated: 10:26 PM, 8 November 2023
સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સહપરિવારનું જીવતર ઝેર થયાનો દાવો
તપાસમાં સામે આવ્યું કે મનિષ સોલંકીએ ઇન્દ્રપાલ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો. હાર્ડવેરના અનેક બિલ એક સાથે આપ્યા હતા અને મોટી રકમની લોન પણ મનિષ સોલંકી પાસે લેવડાવી હોવાનું પણ બહાર આવ્યું છે. બાદમાં દિવાળી સમયે પેમેન્ટ આપવા ઇન્દ્રપાલ શર્મા દબાણ કરતો હતો અને આ અંગે ચિઠ્ઠીમાં ઉલ્લેખ પણ કરાયો છે. ત્યારબાદ ઇન્દ્રપાલના દબાણને લઈને મનિષ સોલંકીએ સહપરિવારનું જીવતર ઝેર થયું હતું. જેથી તમામેં અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આથી અડાજણ પોલીસે ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.
શું છે સમગ્ર મામલો ?
સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાદમાં સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના પણ કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો ?
સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું હતું. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે. આ તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતક મનીષભાઈ સોલંકી સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ