બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhavai is being performed even in the modern era in Khorul village in Disa taluka
Kishor
Last Updated: 12:11 AM, 10 April 2023
છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યું છે. મનોરંજનના આધુનિક માધ્યમોની અસર હવે છેક ગામડાઓ સુધી પ્રસરી ગઈ છે. પરંતુ આવા સમયે પણ ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામે દર ચૈત્ર મહિનામાં ભવાઈના આયોજનની પરંપરા જાળવી રાખી છે. વિસરાતી વિરાસતને યાદ કરવાની ગામની આ પરંપરા અદ્દભુત છે.ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામમાં આધુનિક યુગમાં પણ ભવાઇ ભજવાઈ રહી છે. આધુનિક યુગમાં ભવાઇ ભલે ભૂલાવવા માંડી પરંતુ આખોલ ગામમાં લગભગ અઢીસો વર્ષથી પ્રાચીન ભવાઇ ભજવવામાં આવે છે અને આ ભવાઇ નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો પણ આવે છે. પરંતુ ભવાઇ મનોરંજનની સાથે સાથે જ્ઞાન, મનોરંજન અને સંસ્કૃતિના વહન તરીકે અહીં વર્ષોથી પ્રચલિત રહી છે.
ભવાઈ કળા દ્વારા ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય
એક સમયે જ્યારે સંચારના સાધનો સીમિત હતા ત્યારે લોકો માટે સંચાર વ્યવસ્થાનું કામ ભવાઈના માધ્યમથી થતું હતું. ત્યારે આ પ્રાચીન ભવાઇકળા આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે માટે આખોલ ગામમાં ચૈત્ર માસમાં ભવાઇ ભજવવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવે છે અને સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરવામાં આવે છે. આ ભવાઈ કળા દ્વારા સ્થાનિક લોકોને અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય પણ કરાવાય છે.
સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૂરી
આખોલ ગામમાં ભજવાતી ભવાઇનો ઇતિહાસ સદીઓ જૂનો છે. સદીઓ બાદ દરેક ભૌગોલિક પ્રદેશ પ્રમાણે સંસ્કૃતિઓમાં પરીવર્તન થઈ રહ્યું છે. નવી પેઢી પણ એટલા જ જોમ અને જુસ્સાથી ભવાઇ ભજવે છે.ભૂલાતી જતી સંસ્કૃતિને જો નાનકડા ગામના લોકો પણ ગંભીર સમજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે શિક્ષિત અને શહેરી લોકો પણ ભારતની ભૂલાતી જતી સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૂરી છે. જેથી ભૂલાતી જતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરી શકાય અને તેનાથી નવી પેઢીને જોડી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો