બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / Bageshwar Dham Dhirendra Shastri's divine court program in Ahmedabad changed
Dinesh
Last Updated: 05:02 PM, 19 May 2023
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવાની વાત છે તો અમદાવાદ અને સુરતમાં પણ દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજાવાનો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમમાં ફેરફાર થયો છે. 2 દિવસના બદલે એક દિવસ 29 મેના જ દિવ્ય દરબાર યોજાશે.
આચાર્ય પ્રમોદ મહારાજનું નિવેદન
ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ આચાર્ય પ્રમોદ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે તૈયારીઓ કરાઈ રહીં છે જેમાં ઢોલ, નગારા સાથે ઋષિ કુમારો સ્વાગત કરશે. કોંગ્રેસના આક્ષેપો પર આચાર્યશ્રી પ્રમોદ મહારાજ જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો અને સનાતનીઓના સવાલોના જવાબ આપશે અને કોઈ રજીસ્ટ્રેશન નથી, કોઈ પણ આવી પોતાની અરજી લગાવી શકશે. તેમણે કહ્યું કે, અમે રાજનેતાઓના આક્ષેપોનો જવાબ નહીં આપીએ તેમજ રાજકીય લોકો તેમની રાજનીતિ કરે અમે અમારુ કામ કરીશુ.
આયોજક કમિટીના સભ્યનું નિવેદન
ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસને લઈ આયોજક કમિટીના સભ્ય અમીત શર્માનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત અને રહેવાની તૈયારીઓ થઈ રહીં છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલાનું રિનોવેશન કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગલામાં રહેલી તમામ વસ્તુઓનો ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમવાર જ ઉપયોગ કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રસોયાઓ દ્વારા લિસ્ટ અપાયુ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લસણ અને ડુંગળી વિનાનું ગુજરાતી ભોજન પણ પીરસાશે.
સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે.
ક્યા અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?
26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
29 અમદાવાદના ઘાટલોડીયા ખાતે
1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો