બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ભારત / ayodhya ram mandir ramlalla received an offering of rs 11 crore in 11 days 25 lakh devotees visited
Hiralal
Last Updated: 09:18 PM, 1 February 2024
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાને બિરાજ્યાંનો આજે 11મો દિવસ છે. ભક્તો ભગવાન પર બરાબરના વરસ્યા હોવાનું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા 11 દિવસમાં મંદિર ટ્રસ્ટને 12 કરોડની આસપાસ દાન મળ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસમાં દાનપેટીમાં લગભગ 8 કરોડ રૂપિયા જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઇન મળ્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાને બેસ્યાને 11 દિવસ થઈ ગયા છે. આ 11 દિવસમાં 25 લાખ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી ચૂક્યા છે. આ ઉપરાંત રામ લલ્લાને રોજ સરેરાશ એક કરોડનો ચઢાવો ચઢાવાઈ રહ્યો છે.
VIDEO | Devotees continue to visit Ayodhya Ram Mandir amid heavy security arrangements.
— Press Trust of India (@PTI_News) January 25, 2024
More than 2.5 lakh devotees paid obeisance at the Ram temple in Ayodhya on Wednesday while donations totalling Rs 3.17 crore were recorded on the first day after the Pran Pratishtha ceremony.… pic.twitter.com/zAZt0FJYFc
ગર્ભગૃહની સામે ચાર મોટી દાનપેટીઓ મૂકાઈ
ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા કદની દાનપેટીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર પર પણ લોકો ડોનેશન આપે છે. આ ડોનેશન કાઉન્ટરો પર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ મળેલી દાનની રકમનો હિસાબ ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવે છે. 11 બેંક કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટના ત્રણ કર્મચારીઓ સહિત 14 કર્મચારીઓની ટીમ ચાર દાનપેટીમાં આવેલા દાનની ગણતરી કરી રહી છે. ગુપ્તાએ કહ્યું હતું કે ડોનેશન ડિપોઝિટથી લઈને ગણતરી સુધીની તમામ બાબતો સીસીટીવી સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે.
The newly opened Ayodhya Ram Mandir's donation box was overflowing with funds within just a few hours of its opening. This is a clear indication of the immense potential of the Temple Economy. If harnessed effectively, it could significantly contribute to the growth of India’s… pic.twitter.com/8IgNBySReo
— Pravin (@meraperspective) January 25, 2024
અત્યાર સુધી 25 લાખ ભક્તોએ દર્શન કર્યાં
રેકોર્ડબ્રેક દાનની ઉપરાંત રામલલાના દર્શને આવનાર ભક્તોની સંખ્યા પણ ઓછી નથી. અત્યાર સુધી 25 લાખ ભક્તોએ દર્શન કર્યાં છે અને સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
1569
— D-Intent Data (@dintentdata) January 28, 2024
ANALYSIS: Misleading
FACT: A video showing people withdrawing money from a donation box has been shared, claiming that it was filled with banknotes within half a day on the first day of #RamMandir in “Ayodhya Dham.” We found the same video on Instagram, (1/3) pic.twitter.com/bDZRMWdDIQ
સવારમાં 7 વાગ્યે રામલલા આપે છે ભક્તોને દર્શન
મંદિર પ્રશાસનના નવા સમય મુજબ રામલલાની આરતી સવારે 4.30 વાગ્યાથી શરૂ થશે. સવારે 6.30 વાગ્યે મંગલ પ્રાર્થના બાદ સવારે 7 વાગ્યે ભક્તોના દર્શન માટે મંદિર ઓપન રહે છે. હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસના કારણે વહેલી સવારથી જ યાત્રાળુઓ રામલલાના દર્શન કરવા માટે કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો