પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય
એક તરફ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીને લઈ મોટી છૂટછાટ આપવામાં આવી છે. હવે બે વર્ષ બાદ ગુજરાતીઓ શેરી ગરબા કરી થનગનાટ કરી શકશે. ગરબા રમવાની સાથે નવરાત્રીમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવાનું પણ એક અલગ જ મહાતમ્ય છે. લોકો આશાપુરા માં કચ્છ, અંબે માં અંબાજી ઉપરાંત પાવાગઢ અને ચોટીલા સુધી પગપાળા કે સાધન દ્વારા દર્શન કરવા જતાં હોય છે. ત્યારે આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. આ વખતે નવરાત્રીના નવે નવ દિવસ ભક્તો માં આશાપુરાના દર્શનનો લાભ લઈ શકશે.
પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય
આશાપુરા માતાજીના ભક્તો માટે સારા સમાચાર એ છે કે બે વર્ષ બાદ નવરાત્રીમાં આશાપુરા માંના મંદિરના દ્વારા ભક્તો માટે નવરાત્રીમાં ખુલ્લા રહેશે. કચ્છમાં બેઠેલી ધણિયારી માં આશાપુરા માંના દર્શન કરવા ભક્તો દૂર દુરથી નવરાત્રીમાં પહોંચતા હોય છે પણ કોરોનાની વિકટ સ્થિતિને કારણે નવરાત્રીમાં દર્શનનો લાભથી ભક્તો વંચિત રહ્યા હતા, પરંતુ આ નવરાત્રીમાં ભક્તો માંને પોતાની અરજ કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમોને આધીન મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પણ નવરાત્રીમાં કોરોના નિયમો સાથે છૂટછાટ આપી રહી છે. ત્યારે સરકારી નિયમો ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેનું દરેક ભક્તોએ પાલન કરવું ફરજિયાત છે. સૌ પ્રથમ મોટી સંખ્યમા ભક્તો પગપાળા ચાલીને માં આશાપુરાના દર્શન કરવા આવતા હોય છે જ્યાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ રાખી પગપાળા યાત્રીઓને રહેવા જમવાની સુવિધા આપતા હોય છે પણ મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય
માઇ ભક્તોએ શું ધ્યાન રાખવાનું રહેશે?
કોરોના બાદ પહેલી વખત દર્શનાર્થી માટે ખુલ્લો રહેશે માતાનો મઢ
માતાના મઢ જાગીર ટ્રસ્ટએ કર્યો નિર્ણય
આસો નવરાત્રીમાં કચ્છમાં માતાનો મઢ ભક્તો માટે ખુલ્લો રહેશે
આશાપુરા મંદિર તેમજ પરિસર દર્શનાર્થી માટે ખુલ્લુ રખાશે
પ્રસાદી ક્ષેત્રમાં કોવિડ નિયમોનું પાલન કરવામાં આવશે
પદયાત્રીઓનો કેમ્પ યોજવા પર મનાઇ ફરમાવવામાં આવી
કોવિડ નિયમોનું પાલન કરવું પડશે
ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
વેક્સિન સર્ટિ સાથે રાખવું ગમે ત્યારે ટ્રસ્ટ નિર્ણય લઈ શકે છે.