બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Another Zil on the Verge of Collapse in Sikkim: 26 Killed So Far, Over 1200 Houses Destroyed
Megha
Last Updated: 09:12 AM, 7 October 2023
સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. શાકો ચો ગ્લેશિયલ તળાવ થંગુ ગામની ઉપર છે. આ તળાવ 1.3 કિમી લાંબુ છે અને ગામ તેનાથી માત્ર 12 કિમી દૂર છે. આ કારણે અધિકારીઓ આસપાસના વિસ્તાર ખાલી કરવી રહ્યા છે.
🚩 Sikkim Flash Flood
— PIB in Sikkim (@PIBGangtok) October 6, 2023
▶️Brave hearts of 11 Bn @ITBP_official successfully rescued 6 people including AGM of Teesta Urja Ltd at Chungthang dam site.
▶️They were stranded for more than 36 hours on the other side of Teesta River on dangerous rocky areas. (video: VoS) pic.twitter.com/ELVUZMzxCF
લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે
ગંગટોક જિલ્લા મેજિસ્ટ્રેટ તુશારે નિખારેએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ડેટાએ શાકો ચો ઉપરના ગ્લેશિયરના તાપમાનમાં અસામાન્ય વધારો દર્શાવ્યો છે. જો તાપમાન સ્થિર થશે તો કોઈ સમસ્યા નહીં થાય પણ જો નહીં થાય અને અચાનક પાણીનો પ્રવાહ તેમ આવશે તો તળાવ ફાટી શકે છે. એટલે સાવચેતીના પગલા તરીકે લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Sikkim most civilised part of India and its society not yet messed up like most other states.
— Madhu Purnima Kishwar (@madhukishwar) October 6, 2023
It is also following wise policies for environment protection.
There4,this man made tragedy inflicted on gentle people of #Sikkim is deeply distressing
https://t.co/1gqpDCgI9V
26 લોકોના મોત તો 143 લોકો હજુ પણ લાપતા
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી કે સિક્કિમમાં તિસ્તા નદીમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યાના ત્રણ દિવસ પછી પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં સેનાના સાત જવાનો પણ સામેલ છે. હજુ બચાવ કાર્ય સતત ચાલુ છે.
પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા
અધિકારીઓએ જણાવ્યું કે 15 સૈનિકો સહિત કુલ 143 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે લગભગ 2,413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યભરમાં સ્થાપિત 22 રાહત શિબિરોમાં 6875 લોકો રહે છે.
In the recent flash flood, 68 persons were stranded at the height of 16000 feet, totally cut off for the last 3 days in North Sikkim. #Himveers of ITBP rescue team, launched a massive rescue operation and evacuated all the 68 persons safely. #Himveers#ITBP pic.twitter.com/sKxvRpIsWa
— ITBP (@ITBP_official) October 6, 2023
શાળાઓ, કોલેજો 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ
સિક્કિમમાં પૂર અને ખરાબ હવામાનને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલ
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે આપત્તિ બાદથી 2,011 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 22,034 લોકોને અસર થઈ છે. આ સાથે જ એમને કહ્યું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ,વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. આ પ્રવાસીઓનું સ્થળાંતર એ પ્રાથમિકતા છે અને તેમને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે.
The flash floods on the Teesta in Sikkim that have taken the lives of a number of people including army personnel is most anguishing. The nation grieves at this tragedy. It is yet another reminder of how we must learn to be more sensitive to local ecologies while planning for and… pic.twitter.com/8IorxYhyZy
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 4, 2023
સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે
વિવિધ એજન્સીઓ અને સિક્કિમ સરકારના રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો