બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Anant Ambani likes to come to Jamnagar on weekends, see what he said

Vantara / વીકેન્ડમાં જામનગરમાં આવવાનું પસંદ કરે છે અનંત અંબાણી, પ્રકૃતિ પ્રેમને લઈને જુઓ શું કહ્યું

Megha

Last Updated: 01:57 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણીએ વન્યજીવો માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર છે. વન્યજીવોના સંરક્ષણ પર કહ્યું કે અવાજ વિનાની સેવા કરવી એ સૌથી મોટી સેવા છે.

Anant Ambani: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની લાઈફસ્ટાઈલ અને મોંઘા શોખ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી બાદ હવે અનંત અંબાણી રિલાયન્સની સંપૂર્ણ કમાન સંભાળવા જઈ રહ્યા છે.  

Vantara has been built by Reliance in Jamnagar What is it finally?

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. એવામાં પ્રી-વેડિંગ પહેલા અનંતે એક ઈન્ટરવ્યુમાં વન્યજીવો પ્રત્યેના તેમના પ્રેમ સહિત અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે. સાથે જ અનંત અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈના જેટલા જ જામનગરના છે.  

આ પ્રી-વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણીની એક અલગ જ ચેહરો લોકોની સામે આવી હતી. તેણે પોતે વન્યજીવો પ્રત્યેના પ્રેમ અને તેના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. અનંત અંબાણીના આ રૂપને જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.

અનંત અંબાણીએ વન્યજીવો માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર છે. વન્યજીવોના સંરક્ષણ પર વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ મારો જુસ્સો છે, અવાજ વિનાની સેવા કરવી એ સૌથી મોટી સેવા છે. હું મારી માતા પાસેથી પ્રાણીઓની સેવા કરવાનું શીખ્યો છું. 

અનંત અંબાણીએ કહ્યું કે તેઓ માત્ર વન્યજીવ માટે જ જીવે છે. તે વિચારે છે કે દરરોજ કેટલા જીવ બચાવી શકાય. આ કામ માટે તે દરરોજ લગભગ બે કલાક કાઢે છે. સાથે જ વંતરા પ્રોગ્રામ હેઠળ તેઓ પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાની હેલ્થકેર, હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ખોલ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે પણ જોડાયા છે.

આગળ વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું કે જામનગર તેમનું ઘર છે. તેથી તે મોટાભાગે ત્યાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ રજા મળે ત્યારે તે જામનગર ચોક્કસ જતો રહે છે.

વધુ વાંચો: જામનગરમાં રિલાયન્સે ઊભું કરેલ વનતારા આખરે છે શું? અનંત અંબાણીએ જણાવી ખાસ વાતો

આ સિવાય તેણે આગળ વાત કરતા જણાવ્યું કે તેની માતા નીતા અંબાણીએ જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું હતું. 1995થી માતાએ ખૂબ જ મહેનત કરી છે. માતાએ જામનગરમાં ટાઉનશીપ બનાવી. અહીં તેણે રૂ. 8.5 કરોડનું વાવેતર કર્યું. આજે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ