બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / મનોરંજન / ami-trivedi-really-replacing-disha-vakani-as-dayaben-in-taara-mehta-makers-producer-asit-modi-reacts
vtvAdmin
Last Updated: 02:14 PM, 26 April 2019
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી હવે પરત નહીં જ આવે તે નક્કી થઇ ગયુ છે. થોડા દિવસથી ચર્ચા છે કે, એક્ટ્રેસ અમી ત્રિવેદી ‘દયાબેન’ના પાત્રમાં જોવા મળશે. જોકે આ વિશે અમીએ પહેલા જ કહી દીધુ છે કે શોના મેકર્સ દ્વારા હજુ સુધી કોઇ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. હવે શોમાં અમી ત્રિવેદીની કાસ્ટિંગ અંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદીએ ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યૂમાં આસિત મોદીએ કહ્યું, “હજુ સુધી અમે દયાબેનના રોલ માટે કોઇ એક્ટ્રેસને ફાઇનલ નથી કરી. હજુ પણ યોગ્ય એક્ટ્રેસની શોધ ચાલી રહી છે.'' આસિત મોદીના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે એટલે કે અમી ત્રિવેદીનું નામ આ રોલ માટે ફાઇનલ નથી.
અગાઉ અમી ત્રિવેદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મને રોલ માટે અપ્રોચ કરવામાં નથી આવી. પરંતુ મારા ફ્રેન્ડ્સ મને સલાહ આપી રહ્યા છે કે મારે આ રોલ કરવો જોઇએ. દયાબેનનું કેરેક્ટર હું સારી રીતે કરી શકીશ તેવું મારા ફ્રેન્ડ્સનું માનવુ છે, પણ હજુ રોલ ઓફર થયો નથી અને મેકર્સે પણ મારો કોન્ટેકટ નથી કર્યો.''
જણાવી દઈએ કે, અમી ત્રિવેદી મનોરંજન જગતનું જાણીતું નામ છે. ‘કિટ્ટૂ સબ જાનતી હૈ’, ‘કુમકુમ-પ્યારા સા બંધન’, ‘જાને ક્યા બાત હુઈ’, ‘ખિચડી’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘પાપડ પોળ’, ‘ચિડિયા ઘર’, ‘સાત ફેંરો કી હેરાફેરી’ વગેરે જેવા ટીવી શોમાં અમીએ કામ કર્યુ છે. દિશા વાકાણીની વાત કરીએ તો 2017 સપ્ટેમ્બર મહિનાથી શોમાંથી ગાયબ છે. મેટરનિટી લીવ પર ગયેલી દિશા શોમાં પરત નથી આવી. લાંબો સમય સુધી રાહ જોયા બાદ શોના મેકર્સે નવી એક્ટ્રેસ શોધવાની શરૂઆત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો