ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ ચક્રવાતનો વિડીયો અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે
તોફાન બિપરજોય અવકાશમાંથી પણ દેખાઈ રહ્યું છે
150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પોસ્ટ કર્યો વિડીયો
અરબી સમુદ્રમાં આવેલું તોફાન બિપરજોય અવકાશમાંથી પણ દેખાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ UAE અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ આનો વીડિયો શેર કર્યો છે. વાવાઝોડું આજે 15 જૂનની સાંજ સુધીમાં કચ્છ જિલ્લાના જાખો બંદર પર ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે બે દિવસથી ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અરબ સાગર પર ઉછળતા આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. તે જોઈ શકાય છે કે, અરબી સમુદ્ર પર ચક્રવાતી વાદળોનો મોટો સમૂહ દેખાય છે તે ધીમે ધીમે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
74 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શાહિદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી 74,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જોરદાર પવન અને ઊંચા મોજાંને કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાં છે. એક અંદાજ છે કે વાવાઝોડાને કારણે 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.
NDRFની 18 ટીમો એક્ટિવ
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે.
દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા મંદિરો
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને કારણે સૌરાષ્ટ્રના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકા, પાવગઢ, સાળંગપુર, ખોડલધામ બાદ હવે ચોટીલા ચામુંડા માતાજીના વહીવટી તંત્ર દ્વારા ભક્તોને મંદિરે ન આપવવાની અપીલ કરવામાં આવી છે.