બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'ભગવાને મને બચાવ્યો...' અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેની છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવી
Last Updated: 07:29 PM, 12 June 2025
Ahemdabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં એક મુસાફર લંડન જવાનો હતો પરંતુ નસીબ જોગે તે ગયો નહીં. તેનું નામ સવજી ભાઈ ટિમ્બડિયા છે. તેણે મીડિયાને કહ્યું કે મારે જવાનું હતુ પરંતુ મન પાછુ પડતા ગયો ન હતો.
ADVERTISEMENT
એક મીડિયા સાથે વાત કરતા સવજી ભાઈ ટિમ્બડિયાએ જણાવ્યું કે તેનો પુત્ર બ્રિટનની રાજધાની લંડનમાં રહે છે. તે તેને મળવા જઈ રહ્યા હતા. જોકે, તેને આજનો દિવસ જવાનું મન ના થયું, તેથી તે ગયો નહીં. તેણે સોમવાર માટે આગામી ટિકિટ બુક કરાવી છે.
ADVERTISEMENT
'મારે ત્રણ-ચાર દિવસ પછી જવું પડશે...'
ADVERTISEMENT
મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, મારે ત્રણ-ચાર દિવસ પછી જવું પડશે. મેં સોમવાર માટે ટિકિટ બુક કરાવી છે. આજે જનારા વિમાનમાં મારી ટિકિટ પણ હતી. મને આ વિમાન ક્રેશ થયાની જાણ થઇ. હું સ્વામી નારાયણ ભગવાનનો ભક્ત છું અને દરરોજ મંદિરમાં જાઉં છું. હું દરરોજ સવારે મંદિરમાં જાઉં છું. સ્વામી નારાયણે મને બચાવ્યો છે.
તેમણે કહ્યું કે હું એકલો લંડન જઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે હું સોમવારે જઈશ. આજે મને જવાનું મન નહોતું થયું. મેં અંદરથી અવાજ સાંભળ્યો કે મારે આજે ન જવું જોઈએ. મને સ્વાભાવિક રીતે લાગ્યું કે મારે આજે ન જવું જોઈએ. મને લાગ્યું કે આજનો દિવસ સારો નથી. ટિમ્બડિયાએ કહ્યું કે મારો સીટ નંબર A1 હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Ahmedabad Plane crash / અમદાવાદ પ્લેન દુર્ઘટના પર ક્રિકેટ જગતમાં શોક, પઠાણ બંધુઓ સહિતના ક્રિકેટરો દુઃખી
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
ગુરુવાર, 12 જૂન બપોરે થયેલા આ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે વિમાનમાં 169 ભારતીય, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે આ અકસ્માત શબ્દોની બહાર છે. હું પોતે મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું. અકસ્માતથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.