બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / aged man committed suicide in Bharuch after the video went viral

ચકચાર / 'હું એકલો પડી ગયો છું.. મારા મોત પાછળ પત્ની અને..' ભરૂચમાં 52 વર્ષીય વ્યક્તિએ રડતાં રડતાં વીડિયો બનાવી કર્યો આપઘાત

Kishor

Last Updated: 04:47 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની અને સાસુ, સસરા સહિતનાઓના ત્રાસને લઈ ભરૂચમાં 52 વર્ષીય આધેડે જીવતરનો અંત આણી લેતા હડકંપ મચી ગયો છે.

  • ભરૂચમાં 52 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો
  • મોદીપાર્ક નજીક દેવ દર્શન એપાર્ટમેન્ટની ઘટના
  • પત્ની-સાસરિયાઓના ત્રાસથી અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ કર્યો આપઘાત

ભરૂચમાં આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં મોદીપાર્ક નજીક આવેલ દેવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય આધેડે એકલવાયા જીવનથી કંટાળી જઈ આયખું ટૂંકાવી લેતા અરેરાટી મચી ગઈ છે. આધેડે અંતિમ પગલું ભરી લીધા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મોત પાછળ પત્ની અને સાસુ-સસરાને જવાબદાર ઠેરવ્યા

વીડિયોમાં મૃતકે પોતાની પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી જઈ મોત વ્હાલું કરવાનો વિચાર કરતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે તેમના મકાનમાં ભાગ તેમના ફઇ અને બહેનને આપવા પણ જણાવ્યું છે અને મોત પાછળ જવાબદાર સાસુ, સસરા અને પત્ની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

ભરૂચમાં 52 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો

નોંધનિય છે કે મોદીપાર્ક નજીક દેવ દર્શન એપાર્ટમેન્ટમાં પત્ની-સાસરિયાઓના ત્રાસથી કંટાળી અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. મહત્વનું છે કે અશ્વિનભાઈ ચૌહાણ ની પત્ની ત્રણ વર્ષથી તેમને છોડી અને ચાલી ગઈ હતી જેને પગલે અશ્વિનભાઈ ચૌહાણ એકલવાયું જીવન જીવતા હતા. પત્ની તથા સાસરિયાઓ અશ્વિનભાઈનું ઘર હડપ કરી જવાના ઇરાદે અવારનવાર ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ સાસૂ, સસરા અને પત્નીની ભૂમિકા જાણવા પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ