બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / A Muslim priest came in Ramlalas life prestige

અયોધ્યા રામ મંદિર / કોણ છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા આ મુસ્લિમ ધર્મગરું, સાધુ-સંતોની વચ્ચે આવ્યા નજર, મંદિરના પગથિયાં પણ ચડયા

Published By: Mahadev Dave

Last Updated: 09:46 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે.

  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ ધર્મગુરુ રહ્યા હાજર
  • મુસ્લિમ ધર્મગુરુ પણ VVIP મહેમાનોની વચ્ચે બેઠેલા નજરે પાડયા
  • માનવ અને માનવતા આપણો મોટો ધર્મ છે

અયોધ્યામાં આજે ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દેશ વિદેશના અનેક મહેમાનોએ હાજરી આપી હતી. સનાતન ધર્મ ઉપરાંત ધાર્મિક નેતાઓ અને વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયા બાદ અનેક આગેવાનોએ હાજરી આપી શોભા વધારી હતી. ખાસ વાત એ કાર્યક્રમમાં એક મુસ્લિમ ધર્મગુરુ પણ VVIP મહેમાનોની વચ્ચે બેઠેલા નજરે પાડયા હતાં. ત્યારે કોણ છે આ મહેમાન? જાણીએ અહેવાલમાં!

મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડો. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીને ભારતના 5 લાખ ઈમામો અને લગભગ 21 કરોડ ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પણ માનવામાં આવે છે.

શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા
ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી ધર્મ, આધ્યાત્મિકતા અને આંતર-ધાર્મિક સંવાદના તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર સંસ્થાનું આગેવાની કરે છે. તાજેતરમાં તેમના નામે એક ઈતિહાસ રચાયો છે. જેમા પંજાબમાં આવેલ દેશ ભગત યુનિવર્સિટી દ્વારા તેઓને ફિલોસોફીની ડોક્ટરેટની ડિગ્રી અપાઈ છે અને ખાસ વાત એ છે કે. ભારતીય ઈતિહાસમા અગાઉ ક્યારેય આવું બન્યું નથી કે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા હોય!

 

ઇમામ ઇલ્યાસીએ હૃદય સ્પર્શી વાત કહી

આ વેળાએ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ જણાવ્યુ હતું કે, આ બદલાતા ભારતનું ચિત્ર છે. આજનું ભારત શ્રેષ્ઠ છે. તેઓએ હૃદય સ્પર્શી વાત કહેતા જણાવ્યું હતું કે હું અહીં પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું. આજનો સંદેશ નફરતને ખતમ કરવાનો છે.આપણી પાઠ, પૂજા અને માન્યતા ભલે  અલગ હોઈ શકે છે, પરંતુ બધાનો સૌથી મોટો ધર્મ માનવ અને માનવતાનો છે અને આ ધર્મને જીવંત રાખવા સૌ આગળ આવીએ. વધુમાં આપણો દેશ ભારત છે અને આપણે ભારતને મજબૂત કરવા એક શૂર બનીએ. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. ખૂબ દુશ્મની લીધી, રાજકારણ કર્યા, લોકો મર્યા  બસ હવે બધાએ સાથે આવીને ભારત અને ભારતીયતા માટે લડવું જોઈએ. નોંધનિય છે કે તેઓ કેટલાક ઇસ્લામિક વિદ્વાનોમાંના એક છે જેઓ ઉગ્રવાદ અને આતંકવાદ પર ખૂબ જ સ્પષ્ટ અને કંઠ્ય વલણ ધરાવે છે,

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Muslim priest આયોધ્યા રામ મંદિર ઇમામ ઇલ્યાસી ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી મુસ્લિમ ધર્મગરું રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા Ayodhya ram mandir

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ