બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / A big blow to Navjotsinh Sidhu even before he was released from jail
Priyakant
Last Updated: 02:13 PM, 3 April 2023
કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ 10 મહિના બાદ શનિવારે પટિયાલા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ તરફ જેલમાંથી બહાર આવતાની સાથે જ નવજોત સિંહ સિદ્ધુને રાજ્ય સરકાર અને પોલીસ તરફથી મોટો ઝટકો મળ્યો છે. વાત જાણ એમ છે કે, પંજાબમાં ભગવંત માન સરકારે નવજોત સિંહ સિદ્ધુની સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેની સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો છે. પંજાબ સુરક્ષા સમીક્ષા સમિતિની બેઠકમાં ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબ સરકારે રોડ રેજ કેસમાં સજા કાપીને જેલમાંથી બહાર આવેલા નવજોત સિંહ સિદ્ધુનું સુરક્ષા કવચ અડધું કરી દીધું છે. તેમનું 'Z પ્લસ' કેટેગરીનું કવર હવે 'Y પ્લસ'માં બદલાઈ ગયું છે. નોંધનીય છે કે, પહેલા 'ઝેડ પ્લસ' કવર સાથે 25 પોલીસકર્મીઓ હતા, હવે 'Y પ્લસ' હેઠળ માત્ર 12 છે. પટિયાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સિદ્ધુએ તેમની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને માહિતી આપી કે, તેમનું સુરક્ષા કવચ ઘટાડવામાં આવ્યું છે.
શું કહ્યું પોલીસનાં સૂત્રોએ ?
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એક પાયલોટ એસ્કોર્ટ સિવાય હવે 11 સુરક્ષાકર્મીઓ સિદ્ધુ સાથે જોડાયેલા છે. સિદ્ધુ ગયા વર્ષે 20 મેના રોજ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ 1988ના રોડ રેજ ડેથ કેસમાં જેલમાં ગયા હતા. AAPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સિદ્ધુ સાંસદ કે ધારાસભ્ય નથી અને PPCC ચીફ પણ નથી અને ખતરાને ધ્યાનમાં રાખીનેએ સુરક્ષા પૂરી પાડવામાં આવશે નહિ કે સિદ્ધુની ઈચ્છા મુજબ. નોંધનીય છે કે, સરકાર અથવા રાજ્ય પોલીસની સુરક્ષા શાખા તરફથી કોઈ ઔપચારિક આદેશ આવ્યો નથી, સિદ્ધુ પાસે હવે અડધી સુરક્ષા બાકી છે.
જાણો કેવી છે સિદ્ધુની સુરક્ષા ?
મહત્વનું છે કે, જેલમાં જતા પહેલા સિદ્ધુ પાસે 25 અધિકારીઓ હતા. જેમાં બે ડ્રાઈવર, એક પીએસઓ અને 22 સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરક્ષા હવે ઘટાડીને 12 કરવામાં આવી છે, જેમાં બે હાઉસ ગાર્ડનો સમાવેશ થાય છે. સિદ્ધુ હવે જિલ્લા પોલીસ અને ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનોની સુરક્ષા હેઠળ છે.
શું કહ્યું નવજોતસિંહ સિદ્ધુએ ?
આ તરફ જેલમાંથી મુક્ત થયા બાદ સિદ્ધુએ પોતાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે સરકાર તેમની સુરક્ષા પાછી ખેંચવા માંગે છે. તેણે કહ્યું હતું કે તેણે એક સિદ્ધુને મારી નાખ્યો, બીજાને પણ મારી નાખો. તેમણે કહ્યું હતું કે, તેઓ ડરતા નથી અને પંજાબના મુદ્દા ઉઠાવતા રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy