બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ગુજરાત / A 54-foot tall statue of Hanuman is ready in Salangpur, it will be launched on this day.
Kishor
Last Updated: 09:30 PM, 12 March 2023
કરોડો લોકોની આસ્થાના અખુટ સાગર સમાન વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાય રહ્યો છે. આ દરમિયાન પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ અને અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે નિર્ણણ પામેલ હાઈટેક ભોજનાલયનું ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે હરિભક્તો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મૂર્તિને હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી
નોંધનીય છે કે સાળંગપુર ખાતે બનાવવામાં આવેલું હાઈટેક ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે. તેમાં એક સાથે 4000 લોકો બેસીને ડાઇનિંગ ટેબલ પર આસાનીથી જમી શકે તેવી જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિને ખાસ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. હાલ આ મૂર્તિનું ફિનિશિંગ કામ પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ
આગામી તા. પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રીય હરી પ્રકાશદાસજી સ્વામીએ આ અંગે જણાવ્યું છે કે હનુમાન જયંતીના દિવસે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું અને 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે. જેના આયોજનને લઈ ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેઓના હસ્તે લોકાર્પણ કરાશે. આ અવસરે અનેક ભક્તો ઉપસ્થિત રહશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban