બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Vishal Khamar
Last Updated: 06:15 PM, 5 October 2023
રાજકોટમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે. તેમજ એક મહિનામાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને 450 થી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ નવરાત્રી સમયે અર્વાચીન રાસોત્સવ થતા હશે ત્યાં હોટ સ્પોટ નક્કી કરાશે. તેમજ હવે ઈમરજન્સી 108માં પણ AED મશીન રાખવામાં આવશે.
આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઈએમએનાં ર્ડાક્ટર, રેડક્રોસનાં ર્ડાક્ટર, મેડીકલ કોલેજનાં ર્ડાક્ટર, સાંસદ સભ્યની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીનું જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં નીચે મુજબની સુવિધાઓ હોવી જરૂરી છે. જેમાં
વહેલામાં વહેલી તકે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએઃ કલેક્ટર
તેમજ આ મીટીંગમાં 108 ની ટીમનાં પ્રતિનિધિ હાજર હતા. તેમને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યાં પાંચ થી દસ હજાર જેટલું મોટું ગરબાનું આયોજન થયું હોય ત્યાં હોટસ્પોટ તરફ ધ્યાન રાખવું જોઈએ. તેમજ વહેલામાં વહેલી તકે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
ગરબા સ્થળે ર્ડાક્ટરો તેમની ટીમ સાથે મેડીકલની સેવા આપશેઃ કલેક્ટર
IMA તરફથી પણ એમનાં પ્રતિનિધિ હાજર હતા. તેમણે પણ તાલીમમાં પૂરો સહકાર આપવાનું કીધું છે. તેમજ સ્વૈચ્છીક રીતે પણ ર્ડાક્ટરો અમારી સાથે જોડાવાનાં છે. અને ગરબા સ્થળે તેમની ટીમ સાથે મેડીકલની સેવા આપશે.
છેલ્લા 1 મહિનામાં હાર્ટએટેકના 450 કેસ નોંધાયા-કલેક્ટર
હાર્ટ એટેકનાં સતત વધતા જતા કેસ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે, રાજકોટમાં દર મહિને 450 જેટલા હાર્ટ એટેકનાં કેસ નોંધાય છે. ત્યારે નવરાત્રીએ આપણો સારો તહેવાર છે. એ તબક્કે ઓવર ટ્રેસનાં લીધે વધુમાં કોઈ કેસ ન થાય એના માટે આ બધી કાળજી રાખવામાં આવી રહી છે.
108માં પણ AED મશીન રાખવામાં આવશે-કલેક્ટર
108 માં પણ જરૂરી સુવિધાઓ સાથે AED મશીન (જે ઝટકા મારીને હ્રદયને ધબકતું કરતું મશીન) સાથે જરૂરી મેડીસીન સાથે રાખવામાં આવશે. રાજકોટમાં જીલ્લામાં કુલ 42 ઈમરજન્સી 108 છે. જેમાંથી 22 ઈમરજન્સી 108 રાજકોટ શહેરમાં છે.
હાર્ટ એટેકના કેસને લઈને તબીબોને ભાજપ ખડે પગે રાખશેઃ રામભાઈ મોકરિયા (રાજ્યસભા સાંસદ, રાજકોટ)
આ બાબતે રાજકોટનાં રાજ્ય સભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપ ર્ડાક્ટર સેલનાં તબીબો પણ નવરાત્રી આયોજકોને ફ્રી સેવા આવશે. હાર્ટ એટેકનાં કેસને લઈ તબીબોને ભાજપ ખડે પગે રાખશે. વધતા હાર્ટ એટેકનાં કેસને લઈ આયોજકોને પણ સૂચના આપી છે. તેમજ અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા પણ સૂચના આપવામાં આવી છે. મેડિકલ કોલેજનાં સ્ટુડન્ટસને પણ નવરાત્રી ગ્રાઉન્ડમાં ડ્યુટી ફાળવવા માટે સિવિલ સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime