બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dhruv
Last Updated: 04:24 PM, 9 August 2022
અમદાવાદમાં કોરોના બાદ હવે સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાંય ચોમાસાની સિઝન ચાલતી હોવાના કારણે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. જેમાં શરદી, તાવ, મલેરિયા અને ટાઇફોઇડ સહિતના રોગોએ માઝા મૂકી છે. એવામાં સ્વાઇન ફ્લૂના કેસો વધતા તંત્ર ચિંતામાં મૂકાઇ ગયું છે.
જણાવી દઇએ કે, અમદાવાદમાં ઓગસ્ટના માત્ર 8 દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 120 કેસ રિપોર્ટ થયા છે. જેમાંથી 108 કેસ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને 12 કેસ ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોંધાયા છે. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સ્વાઇન ફ્લૂના 154 કેસ નોંધાયા હતા. હાલમાં 100થી વધુ દર્દીઓ VS, LG અને શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે 25થી વધુ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જો કે, સ્વાઇન ફ્લૂનો કહેર સૌથી વધારે બાળકોમાં વધારે જોવા મળી રહ્યો છે. જેમાં 0થી 6 વર્ષના 8 બાળકો અને 6થી 15 વર્ષના 40 બાળકો સ્વાઇન ફ્લૂની ઝપેટે ચડ્યા છે.
જાણો શું છે સ્વાઈન ફ્લૂ બીમારી?
સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. અમે તેને H1N1 તરીકે પણ જાણીએ છીએ. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે. આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં હાજર માનવ ફ્લૂના તાણના સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે. જો રોગનું સ્તર વધુ ખરાબ થાય છે તો તે લોકોનો જીવ પણ લઈ લે છે.
જાણો શું છે સ્વાઇન ફ્લૂના લક્ષણો?
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂ H1N1 વાયરસના ચેપને કારણે ફેલાય છે. આ રોગમાં તાવ, શરદી, છીંક આવવાની સમસ્યા, ગળામાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યા જાગે છે. જો ચેપ ગંભીર હોય તો ન્યુમોનિયા અને છાતીમાં દુખાવો થઈ શકે છે. સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તે પછી 48 કલાકની અંદર દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી જોઈએ અને યોગ્ય સમયે દવા લેવી જોઈએ. આ સિવાય સ્વાઈન ફ્લૂથી બચવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ. ચેપના કિસ્સામાં આરામ કરો અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવો ખોરાક ખાઓ. આ ચેપમાં, ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો