બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 146th Rath Yatra of Lord Jagannath in Ahmedabad, devotional atmosphere in Saraspur

રથયાત્રા 2023 / સોનાનાં કુંડળ, ચાંદીના હાર, વાઘા, ઝભ્ભા અને ધોતી: કંઇક આવું હશે જગતના નાથનું આજે મામેરુ

Malay

Last Updated: 07:37 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rathyatra 2023: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સરસપુર મોસાળમાં નાથનું મામેરું કરાશે. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાઘા, પાઘડી અને અલંકારો અર્પણ કરવામાં આવશે.

 

  • ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 
  • અત્યારે મોસાળ પક્ષમાં ભારે આનંદનો માહોલ
  • સરસપુર મોસાળમાં નાથનું મામેરું 

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સરસપુર મોસાળમાં નાથનું મામેરું કરવામાં આવશે. મામેરામાં કલાત્મક વાઘા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, બુટ્ટી, ચાંદીની નથણી ચઢાવાશે. સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવશે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના સોનાના કુંડળ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હારની ચડાવાશે. જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, ઝભ્ભા અને ધોતી પણ અપર્ણ કરાશે. ભગવાનના મોસાળમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. 

મંદિરેથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાલુપુર પહોંચશે
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેક્નોલોજી અને નવા રથ સાથે નીકળી છે. મંદિરેથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાલુપુર પહોંચશે. કાલુપુર સર્કલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સર્કલની બંન્ને બાજુ પોલીસ, SRP અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ખાસ ટ્રાફિક પોલીસ કર્મીઓની મોટી ફોજ તૈનાત કરવામાં આવી છે. 

સવારે 4 વાગ્યે કરવામાં આવી મંગળા આરતી
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના કપાટ ફરી બંધ કરીને ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. સવારે 4.30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથજીને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતા. 

CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી 
જે બાદ સવારે 5:30 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 5:35 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવ્યા હતા. સવારે5:50 વાગ્યે ભાઈ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્યા હતા. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુંભારંભ કરાવ્યો હતો. હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ગુલાબી કલરના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આજે ભગવાન ગુલાબી કલરના વાઘા પહેરી અને નગરચર્યાએ નીકળશે.

વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાયા છે. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ