બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Manisha Jogi
Last Updated: 09:56 AM, 10 October 2023
દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઊજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનઈઝેશનના એક રિપોર્ટ અનુસાર આંતરરરાષ્ટીય સ્તરે આઠમાંથી એક મેન્ટલ ડિસઓર્ડરનો શિકાર છે. વિશ્વ માનસિક આરોગ્ય દિવસે આ બાબતે જાગૃતતા ફેલાવવામાં આવે છે. આજના સમયમાં લોકોમાં તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થવી તે સામાન્ય છે. ડિપ્રેશનને કારણે વ્યક્તિના દૈનિક જીવન પર ખૂબ જ ખરાબ અસર થાય છે. અહીંયા અમે તમને ડિપ્રેશનના કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.
ડિપ્રેશનના શરૂઆતના સંકેત
સતત દુ:ખી રહેવું અને એકલાપણું લાગવું- ડિપ્રેશનના કારણે વ્યક્તિ મહિનાઓ સુધી દુ:ખી અને એકલાપણાની લાગણી અનુભવે છે.
કોઈ કામમાં રૂચિ ના હોવી- ડિપ્રેશનના કારણે વ્યક્તિને કોઈપણ કામ કે એક્ટિવિટીમાં રસ રહેતો નથી અને મજા આવતી નથી.
ભૂખ અને વજનમાં ફેરફાર- ડિપ્રેશનના કારણે વ્યક્તિની ભૂખમાં ફેરફાર થાય છે. જેના કારણે વ્યક્તિનું વજન એકદમ ઘટવા લાગે છે અથવા વધવા લાગે છે.
થાક લાગવો અને એનર્જી ના રહેવા- આખી રાત ઊંઘ્યા પછી પણ સતત થાક લાગવો અને એનર્જી ના રહેવી તે ડિપ્રેશનનું મુખ્ય લક્ષણ છે.
ઊંઘમાં ખલેલ- ડિપ્રેશનમાં ઊંઘની સમસ્યા થવી તે એક સામાન્ય બાબત છે. આ સમસ્યાને કારણે વ્યક્તિને ઊંઘ આવતી નથી અથવા જરૂર કરતા વધારે ઊંઘ આવે છે.
ધ્યાન લગાવવામાં તકલીફ થવી- ડિપ્રેશનના કારણે વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી, નિર્ણયક્ષમતા અને યાદશક્તિ ખરાબ થઈ શકે છે. જેના કારણે કામ પર અસર થાય છે.
અપરાધબોધ અને નિરાશાની ભાવના- ડિપ્રેશનના કારણે વ્યક્તિને નકારાત્મક વિચાર, અપરાધબોધ અથવા નકામી ફીલિંગ્સ અને ભવિષ્ય વિશે નિરાશાની લાગણી અનુભવે છે.
જરૂર કરતા વધારે ગુસ્સો- ડિપ્રેશનના કારણે વ્યક્તિ ચિડીયુ થઈ જાય છે અને નાની નાની વાત પર ગુસ્સો આવે છે.
સામાજિક મેલજોલમાં શામેલ ના થવું- ડિપ્રેશનના કારણે વ્યક્તિ મિત્રો, સંબંધીઓ અને સોશિયલ એક્ટિવિટીઝથી દૂર રહે છે.
આપઘાતના વિચાર આવવા- ડિપ્રેશનથી પીડિત વ્યક્તિને આપઘાતના વિચાર આવે છે. આપઘાતના વિચાર આવવા તે ડિપ્રેશનની સૌથી ખરાબ પરિસ્થિતિ છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime